- ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 3 મેચની T20 સિરીઝ
- અફઘાનિસ્તાન સામે 11 થી 17 જાન્યુઆરીમાં રમાશે સિરીઝ
- આ સિરીઝ માટે ભારતે આવતા અઠવાડિયે ટીમની જાહેરાત કરશે
T20 વર્લ્ડ કપ આવતા વર્ષે એટલે કે 2024માં રમાશે, જે પહેલા ટીમ ઇન્ડિયા જાન્યુઆરીમાં અફઘાનિસ્તાન સામે છેલ્લી T20 સિરીઝ રમશે. અફઘાનિસ્તાન સામે ટીમ ઈન્ડિયાની ટીમ કેવી રહેશે તે જોવું રહ્યું કારણ કે ભારત માટે T20 ક્રિકેટ રમી રહેલા સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા જેવા ખેલાડીઓ ઈજાગ્રસ્ત છે. આ સિવાય ઋતુરાજ ગાયકવાડ પણ ઈજાથી પરેશાન છે. આવી સ્થિતિમાં સંજુ સેમસનને અફઘાનિસ્તાન સામે તક મળી શકે છે. આફ્રિકા પ્રવાસ પર રમાયેલી ત્રણ મેચની વનડે સિરીઝની છેલ્લી મેચમાં સંજુએ શાનદાર સદી ફટકારી હતી. સંજુએ સિરીઝ નિર્ણાયક મેચમાં 108 રનની ઇનિંગ રમી હતી. જેને જોતા તેને અફઘાનિસ્તાન સામેની ટી20 સિરીઝમાં તક આપવામાં આવી શકે છે.
અફઘાનિસ્તાન વિરૂદ્ધ ત્રણ મેચની T20 સિરીઝ 11 જાન્યુઆરીથી રમાશે. આ પછી ટીમ ઈન્ડિયા 25 જાન્યુઆરીથી ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ મેચ સીરિઝ શરૂ કરશે, જેના કારણે વિરાટ કોહલી સહિત ઘણા સિનિયર ખેલાડીઓ અફઘાનિસ્તાન સીરીઝનો ભાગ નહીં બની શકે.













