• ઐયરને BCCI કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો
  • વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન બાદ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરાયો
  • ઐયરની કેપ્ટન્સીમાં આઈપીએલ 2024ની ચેમ્પિયન બની હતી

ભારતના સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐયરે પ્રથમ વખત ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા કેન્દ્રીય કરારમાંથી બહાર રહેવા અંગે ખુલીને વાત કરી હતી. તેણે કહ્યું, ODI વર્લ્ડકપ 2023માં તેના શાનદાર પ્રદર્શન છતાં તેને આટલી મોટી સજા કેમ મળી. શ્રેયસ ફેબ્રુઆરી 2024માં ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ બાદ ટીમની બહાર થઈ ગયો હતો. આ પછી તેને BCCI કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.

શ્રેયસ ઐયર કોન્ટ્રાક્ટમાંથી બહાર

29-વર્ષીય બેટ્સમેનના જણાવ્યા અનુસાર, વાતચીતના અભાવ અને કેટલાક નિર્ણયો તેની તરફેણમાં ન આવવાને કારણે તેને કેન્દ્રીય કરારમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. શ્રેયસે કહ્યું કે તે જાણતો હતો કે તે પોતાની ટીમને રણજી ટ્રોફી અને IPL 2024માં ચેમ્પિયન બનાવીને યોગ્ય જવાબ આપી શકે છે. આવું જ કંઈક થયું. તેણે પ્રથમ રણજી ટ્રોફીમાં મુંબઈને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ પછી કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) તેની કેપ્ટન્સીમાં આઈપીએલ 2024ની ચેમ્પિયન બની હતી.

શ્રેયસ ઐયર શું કહ્યું?

શ્રેયસ ઐયરે કહ્યું, “મેં વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. હું તે પછી બ્રેક લેવા માંગતો હતો, મારા શરીર પર કામ કરવા માંગતો હતો અને અમુક વિસ્તારોમાં મારી શક્તિ વધારવા માંગતો હતો. કમ્યુનિકેશનના અભાવે કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા જે મારા પક્ષમાં નહોતા ગયા. હું જાણતો હતો કે એકવાર હું રણજી ટ્રોફી અને IPL જીતીશ પછી ભૂતકાળમાં જે કંઈ પણ થયું તેનો સાચો જવાબ મળશે. અમારે ભવિષ્યમાં ઘણી ટ્રોફી જીતવી છે.”

ODI વર્લ્ડકપમાં 530 રન

ઐયરે ODI વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમનો ભાગ હતો. તે ભારત માટે ત્રીજા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. તેણે બે સદી અને ત્રણ ફિફ્ટીની મદદથી 530 રન બનાવ્યા હતા. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે હાર્યા બાદ ભારતીય ટીમે રનર્સ અપ તરીકે તેમના અભિયાનનો અંત આણ્યો હતો. ODI વર્લ્ડકપ 2023 પછી દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટેસ્ટ ટીમમાં તેની પસંદગી કરવામાં આવી હતી. તે જાન્યુઆરીમાં પ્રોટીઝ સામેની બંને મેચમાં રમ્યો હતો, પરંતુ નિષ્ફળ રહ્યો હતો. આ પછી, તેણે ઈંગ્લેન્ડ સિરીઝમાં 2 મેચમાં બેટિંગ કરી ન હતી. તેણે રણજી ટ્રોફીની ફાઇનલમાં શાનદાર ઇનિંગ રમી હતી.

  • Follow us on: