• T20 વર્લ્ડકપમાં શાનદાર ફોર્મમાં છે અર્શદીપ સિંહ
  • હવે અશ્વિનનો રેકોર્ડ તોડવાની નજીક છે અર્શદીપ
  • વિકેટ લેવાના મામલે યુઝવેન્દ્ર ચહલ ટોપ પર

અર્શદીપ સિંહ છેલ્લા કેટલાક સમયથી પોતાના જોરદાર પ્રદર્શનને કારણે ચર્ચામાં છે. જ્યારે પણ તેને તક આપવામાં આવી છે ત્યારે તે ટીમ અને કેપ્ટનના વિશ્વાસ પર ખરો ઉતર્યો છે. અર્શદીપે યુએસએ સામે રમાયેલી મેચમાં આ સાબિત કર્યું. T20 વર્લ્ડકપ 2024ની આ મેચમાં તેણે ઘાતક બોલિંગ કરી અને ટીમ ઈન્ડિયાની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી. અર્શદીપ હવે રવિચંદ્રન અશ્વિનનો રેકોર્ડ તોડવાની નજીક પહોંચી ગયો છે.

આ મામલે અર્શદીપ તોડશે અશ્વિનનો રેકોર્ડ

અર્શદીપ ભારત માટે સૌથી વધુ T20 ઈન્ટરનેશનલ વિકેટ લેવાના મામલે છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. તે આ મામલે અશ્વિનને પાછળ છોડી શકે છે. અર્શદીપે અત્યાર સુધી રમાયેલી 47 મેચમાં 69 વિકેટ લીધી છે. આ સમયગાળા દરમિયાન 9 રનમાં 4 વિકેટ લેવી તેની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. અર્શદીપે યુએસએ સામેની છેલ્લી મેચમાં કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. અશ્વિનની વાત કરીએ તો તેણે 72 વિકેટ ઝડપી છે. અર્શદીપ 4 વિકેટ લેતા જ તેનો રેકોર્ડ તોડી નાખશે.

અર્શદીપે 2022માં કર્યું ટી20 ડેબ્યૂ

અર્શદીપે 2022માં ભારત માટે ડેબ્યૂ ટી20 મેચ રમી હતી. આ વર્ષે ડેબ્યૂ ODI મેચ પણ રમી હતી. અર્શદીપે ભારત માટે 6 વનડે મેચ પણ રમી છે. જેમાં 10 વિકેટ ઝડપી હતી. તેનો ટી20 ઓવરનો રેકોર્ડ પણ સારો રહ્યો છે. અર્શદીપે 135 ટી20 મેચમાં 171 વિકેટ લીધી છે. આ સાથે જ તેણે 23 લિસ્ટ A મેચમાં 31 વિકેટ ઝડપી છે.

યુઝવેન્દ્ર ચહલ ટોપ પર

તમને જણાવી દઈએ કે યુઝવેન્દ્ર ચહલે ભારત માટે સૌથી વધુ ટી20 વિકેટ લીધી છે. તેણે 80 મેચમાં 96 વિકેટ લીધી છે. ભુવનેશ્વર કુમારે 87 મેચમાં 90 વિકેટ લીધી છે. આ યાદીમાં હાર્દિક પંડ્યા ત્રીજા સ્થાને છે. તેણે યુએસએ સામે સારી બોલિંગ કરી હતી. પંડ્યાએ 95 મેચમાં 80 વિકેટ લીધી છે. જસપ્રીત બુમરાહ 79 વિકેટ સાથે ચોથા સ્થાને છે.

  • Follow us on: