• T20 વર્લ્ડકપ 2024 2 જૂનથી શરૂ થયો છે
  • ભારતીય ટીમ 5 જૂનથી અભિયાનની શરૂઆત કરશે
  • ભારતીય ટીમમાં રિયાન પરાગને સ્થાન મળ્યું ન હતું

T20 વર્લ્ડકપ 2 જૂનથી શરૂ થયો છે. ભારતીય ટીમ 5 જૂનથી ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ વખતે ટીમ ઈન્ડિયામાં ઘણા નવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. આ વખતે BCCIએ ટીમમાં IPL 2024માં ધમાકેદાર દેખાવ કરનારા કેટલાક ખેલાડીઓને પણ પસંદ કર્યા છે. ઘણા એવા ખેલાડીઓ છે જેમને IPLમાં શાનદાર પ્રદર્શન કરવા છતાં ટીમ ઈન્ડિયામાં તક મળી નથી. હવે તેમાંથી એક ખેલાડીનું દર્દ છલકાયું છે.

'વર્લ્ડકપ જોવા નથી માગતો'

રાજસ્થાન રોયલ્સના સ્ટાર ખેલાડી રિયાન પરાગે IPL 2024માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જે બાદ ચાહકોને આશા હતી કે તેને વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયામાં ચોક્કસપણે તક મળી શકે છે. પરંતુ તેને ટીમમાં સ્થાન મળ્યું ન હતું. એક ઈન્ટરવ્યૂમાં રિયાન પરાગે કહ્યું કે ઈમાનદારીથી કહું તો મને વર્લ્ડકપ જોવાનું મન પણ થતું નથી. જ્યારે તેને વર્લ્ડકપની ટોચની ચાર ટીમો વિશે પૂછવામાં આવ્યું ત્યારે રિયાનએ કહ્યું કે જ્યારે પણ હું વર્લ્ડકપમાં રમીશ ત્યારે ટોચની ચાર ટીમો વિશે વિચારીશ.

IPLમાં શાનદાર પ્રદર્શન

રિયાન પરાગે IPL 2024માં ખૂબ જ તોફાની બેટિંગ કરી હતી. ત્રીજા નંબર પર બેટિંગ કરતા તેણે રાજસ્થાન માટે ઘણી શાનદાર ઇનિંગ્સ રમી અને ટીમને જીત તરફ દોરી. સીઝન-17માં રિયાને રાજસ્થાન માટે 16 મેચ રમી હતી, જેમાં તેણે 149ના સ્ટ્રાઈક રેટથી 573 રન બનાવ્યા હતા. આ દરમિયાન પરાગે 4 ફિફ્ટી પણ ફટકારી હતી. પરંતુ તેમ છતાં તેને વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયામાં તક મળી નથી.


  • Follow us on: