- ટીમ ઈન્ડિયાએ વોર્મઅપ મેચમાં બાંગ્લાદેશને હરાવ્યું
- 5 જૂને આર્યલેન્ડમાં ન્યૂયોર્ક સાથે પહેલી મેચ રમશે
- ટીમ ઈન્ડિયા 4 સ્પિનર્સની સાથે રમશે ટી20 વર્લ્ડકપ
T20 વર્લ્ડ કપ 2024 પહેલા ભારતીય ક્રિકેટ ટીમનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. ટીમ ઈન્ડિયાએ પ્રેક્ટિસ મેચમાં બાંગ્લાદેશને 60 રનથી હરાવ્યું હતું. હવે ભારતની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે છે. આ મેચ ન્યૂયોર્કમાં રમાવાની છે. આ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. ટીમ ઈન્ડિયાનો એક નિર્ણય તમામ વિરોધી ટીમો પર ભારે અસર કરી શકે છે. આ ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમ ચાર સ્પિનરો સાથે ગઈ છે.
ટીમ ઈન્ડિયાની છે ખાસ તૈયારી
વાસ્તવમાં T20 વર્લ્ડ કપ 2024માં કુલ ત્રણ મેચ રમાઈ છે. જેમાંથી બીજી અને ત્રીજી મેચ લો સ્કોરિંગ રહી હતી. બીજી મેચ ગયાનામાં અને ત્રીજી મેચ બાર્બાડોસમાં રમાઈ હતી. અહીંની પિચ ધીમી રહી છે. અહીં નોક આઉટ સ્ટેજની મેચો રમાવાની છે. અહીં સેમી-ફાઇનલ અને ફાઇનલ મેચ પણ યોજાશે. ટીમ ઈન્ડિયા આ માટે પહેલેથી જ તૈયાર છે. ટીમ ઈન્ડિયા ચાર સ્પિનરો સાથે T20 વર્લ્ડ કપમાં ભાગ લેવા આવી છે.
ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે આ સ્પિનર્સ
ટીમ ઈન્ડિયાએ યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલને ટીમમાં સામેલ કર્યા છે. ચહલે તાજેતરમાં IPL 2024માં ઘાતક બોલિંગ કરી હતી. જાડેજા, કુલદીપ અને અક્ષરે પણ સારું પ્રદર્શન કર્યું હતું. આ ચાર બોલર T20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયા માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. તેની સાથે જ તે પાકિસ્તાન માટે પણ મુશ્કેલી બની શકે છે. કુલદીપ-ચહલ ખૂબ જ અનુભવી છે અને તેમની જોડી વિકેટ લેવાના મામલે પ્રખ્યાત રહી છે.
તમને જણાવી દઈએ કે બાબર આઝમની કપ્તાની હેઠળની પાકિસ્તાની ટીમે અનુભવી ખેલાડીઓની સાથે સાથે યુવા ખેલાડીઓને પણ ટીમમાં સામેલ કર્યા છે. ફખર જમાન, સામ અયુબ, ઈફ્તિખાર અહેમદ અને ઈમાદ વસીમ ટીમનો ભાગ છે. તેમની સાથે શાદાબ ખાન પણ ટીમમાં સામેલ છે.