• ભારતીય ક્રિકેટ ટીમના ઘણા ખેલાડીઓ ઈજાથી પરેશાન
  • ઈજાના કારણે ખેલાડીઓના IPLમાં રમવા પર સસ્પેન્સ
  • હાર્દિક પંડ્યા ટીમમાં એક કે બે મહિનામાં વાપસી કરશે

ભારતીય ક્રિકેટ ટીમના ઘણા ખેલાડીઓ હાલમાં ઈજાની સમસ્યાથી પરેશાન છે. ટીમના ત્રણ મોટા સ્ટાર સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા અને મોહમ્મદ શમી આ દિવસોમાં ટીમની બહાર છે. આ સિવાય શાર્દુલ ઠાકુર, પૃથ્વી શૉ પણ ઈજાગ્રસ્ત છે. હવે આ ખેલાડીઓની ઈજાઓ અંગે અપડેટ સામે આવ્યું છે. તે પછી આમાંથી ઘણા ખેલાડીઓના IPLમાં રમવા પર સસ્પેન્સ છે.

શમી અને શાર્દુલ ફિટ નહોતા

નોંધનીય છે કે શનિવાર સવારથી જ 2022ના અંતમાં ભયાનક માર્ગ અકસ્માતનો ભોગ બનેલા ઋષભ પંતને રિકવરી માટે લંડન મોકલવાના સમાચારો સામે આવી રહ્યા હતા. આ દરમિયાન એવી માહિતી મળી છે કે પંત સિવાય મોહમ્મદ શમીને પણ લંડનમાં ડોક્ટરને મળવાની સલાહ આપવામાં આવી છે. આટલું જ નહીં, શમી NCA ડૉક્ટર અને ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ફિઝિયો નીતિન પટેલ સાથે લંડન જઈ શકે છે. તેમજ શાર્દુલ ઠાકુરને ઘૂંટણની સમસ્યાને કારણે રણજી રમવાની મંજૂરી આપવામાં આવી નથી.

આ દરમિયાન પૃથ્વી શૉ પણ ગયા વર્ષે ઓગસ્ટમાં ઘૂંટણની લિગામેન્ટની ઈજાને કારણે ક્રિકેટથી દૂર છે. મળતી માહિતી મુજબ તેના પરત આવવામાં હજુ એક મહિનો લાગી શકે છે. એટલે કે તે વર્તમાન રણજી ટ્રોફીમાંથી કદાચ બહાર રહેશે. તે જ સમયે, તેના IPLમાં રમવા પર સસ્પેન્સ છે. આ સિવાય મોહમ્મદ શમી વર્લ્ડકપ બાદથી સતત બહાર છે.

મોહમ્મદ શમીએ ટેન્શન વધાર્યું

ઈંગ્લેન્ડ સિરીઝમાંથી તેનું બાકાત લગભગ નિશ્ચિત છે અને તેનું નામ પ્રથમ બે ટેસ્ટ માટે પણ ટીમમાં નથી. જો સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યાની વાત કરીએ તો સૂર્યાએ તાજેતરમાં 17 જાન્યુઆરીએ જર્મનીમાં સર્જરી બાદ એક તસવીર શેર કરી હતી. બીજી તરફ, હાર્દિક પંડ્યા સતત તેના જિમના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યો છે. એવું લાગે છે કે આ બંને ખેલાડીઓ આગામી એક કે બે મહિનામાં વાપસી કરી શકે છે.


  • Follow us on: