• પાકિસ્તાન સામે અમેરિકાની ઐતિહાસિક જીત
  • યુએસએ પાકિસ્તાનને 5 રનથી હરાવ્યું હતું
  • યુવરાજે પાકિસ્તાનની રણનીતિ પર ઉઠાવ્યા સવાલ

T20 વર્લ્ડ કપ અંતર્ગત યુએસએ અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. આ મેચમાં યુએસએની ટીમે પાકિસ્તાનને હરાવીને ઈતિહાસ રચ્યો હતો. યુએસએ સુપર ઓવરમાં પાકિસ્તાનને હરાવ્યું. બંને ટીમો વચ્ચે રમાયેલી મેચ 159 રનમાં ટાઈ થઈ હતી. જે બાદ મેચનું પરિણામ સુપર ઓવરમાં આવ્યું હતું.

પાકિસ્તાનની ટીમ આ મેચ સુપર ઓવરમાં 5 રનથી હારી ગઈ હતી. યુએસએ સુપર ઓવરમાં 18 રન બનાવ્યા હતા. જેનો પીછો કરતા પાકિસ્તાનની ટીમ માત્ર 13 રન બનાવી શકી હતી. આ અપસેટ બાદ પાકિસ્તાની ટીમ અને કેપ્ટન બાબર આઝમની ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ અનુભવી ઓલરાઉન્ડર અને વર્લ્ડકપના એમ્બેસેડર યુવરાજ સિંહે પણ પાકિસ્તાનની રણનીતિ પર સવાલ ઉઠાવ્યા છે.

ફખર ઝમાનને કેમ ન મળી સ્ટ્રાઈક?

યુવરાજ સિંહે પોતાના એક્સ પર પોસ્ટ કરીને લખ્યું- મને સમજાતું નહોતું કે ફખર ઝમાને સુપર ઓવરમાં શા માટે ઈનિંગની શરૂઆત ન કરી. ડાબા હાથના બેટ્સમેન માટે ડાબા હાથના ફાસ્ટ બોલર સામે બોલર જે એન્ગલ બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે તેના પર બોલ હિટ કરવો સરળ છે. વાસ્તવમાં પાકિસ્તાનની ઇનિંગની શરૂઆત ઇફ્તિખાર અહેમદે કરી હતી.

તેણે બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો, પરંતુ ત્રીજા બોલ પર તે કેચ આઉટ થયો. જે બાદ તમામ બોલ શાદાબ ખાને રમ્યા હતા જેના પર પાકિસ્તાનની ટીમ માત્ર 8 રન બનાવી શકી હતી અને મેચ હારી ગઈ હતી. ફખર ઝમાનને એક પણ બોલ રમવાની તક મળી ન હતી. યુવી આના પર સવાલ ઉઠાવતો જોવા મળી રહ્યો છે. તેણે પોતાની પોસ્ટમાં ફખરને પણ ટેગ કર્યો છે.

યુએસએની પ્રશંસા કરી

આ સાથે યુવરાજે યુએસએ ટીમના વખાણ કર્યા હતા. યુવીએ આગળ કહ્યું - યુએસએ ટીમને દબાણમાં સ્માર્ટ નિર્ણયો લેવાનો શ્રેય આપવો જોઈએ, ખાસ કરીને કેપ્ટન મોનાક પટેલને. હવે પાકિસ્તાનને ભારત સામે જીતવાની જરૂર રહેશે. તેને ચોક્કસપણે સારી બેટિંગ અને ફિલ્ડિંગની જરૂર છે. યુવીએ વધુમાં કહ્યું કે ભારતની મજબૂત શરૂઆતથી અમને હરાવવા મુશ્કેલ બનશે.

  • Follow us on: