• ઝિમ્બાબ્વે પ્રવાસ બાદ ટીમ ઈન્ડિયા શ્રીલંકાનો પ્રવાસ કરશે
  • ત્રણ મેચની T20 અને ત્રણ મેચની વનડે સિરીઝ રમવાની છે
  • ગૌતમ ગંભીરનો કાર્યકાળ શ્રીલંકા સામેની સિરીઝથી શરૂ થશે

ઝિમ્બાબ્વે પ્રવાસ બાદ ટીમ ઈન્ડિયા શ્રીલંકાનો પ્રવાસ કરવાની છે. આ પ્રવાસમાં ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની T20 અને ત્રણ મેચની વનડે સિરીઝ રમવાની છે. નવા કોચ ગૌતમ ગંભીરનો કાર્યકાળ શ્રીલંકા સામેની સિરીઝથી શરૂ થશે. ભારત શ્રીલંકા સામેની સિરીઝની શરૂઆત 27 જુલાઈએ પ્રથમ T20થી શરૂ કરશે.

શું આ અઠવાડિયે ટીમની થશે જાહેરાત?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીર આ અઠવાડિયે મુખ્ય પસંદગીકાર અજીત અગરકર અને અન્ય પસંદગીકારોને મળશે. ત્યારબાદ શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવશે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો શ્રીલંકા સામેની T20 અને ODI સિરીઝ માટે ટીમની જાહેરાત આ અઠવાડિયે કરવામાં આવશે.

શ્રીલંકા સામેની ટીમ ઝિમ્બાબ્વેથી અલગ થઈ શકે છે

BCCIએ ઝિમ્બાબ્વે માટે ખૂબ જ યુવા ટીમ પસંદ કરી હતી. શુભમન ગિલ પાંચ મેચોની સિરીઝમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન હતો. રિયાન પરાગ, તુષાર દેશપાંડે અને અભિષેક શર્મા જેવા ઘણા યુવા ખેલાડીઓ આ ટીમનો ભાગ હતા. ભારતીય ટીમે ઝિમ્બાબ્વેમાં પાંચ મેચની T20 સિરીઝ 4-1થી જીતી લીધી છે. તેમ છતાં, શ્રીલંકા પ્રવાસ પર T20 સિરીઝ માટેની ટીમ સંપૂર્ણપણે અલગ હોઈ શકે છે. શ્રીલંકા સામેની સિરીઝમાં હાર્દિક પંડ્યા ટીમનો કેપ્ટન બની શકે છે. આ સાથે જ રિષભ પંત, સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજ જેવા સ્ટાર ખેલાડીઓ પણ વાપસી કરી શકે છે.

શ્રીલંકા સામેની T20 સિરીઝ માટે ભારતની 15 સભ્યોની સંભવિત ટીમ

શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, રુતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (કેપ્ટન), રિંકુ સિંહ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, આવેશ ખાન, મોહમ્મદ સિરાજ અને ખલીલ અહેમદ/મુકેશ કુમાર.

આ 15 ખેલાડીઓને વનડે સિરીઝમાં મળી શકે છે તક

15 સભ્યોની ટીમમાં કેપ્ટન રોહિત શર્મા, શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલના રૂપમાં ત્રણ ઓપનર હોઈ શકે છે. કેએલ રાહુલ, શ્રેયસ ઐયર અને રિંકુ સિંહને મિડલ ઓર્ડરમાં તક મળવાની આશા છે. રિષભ પંત અને કેએલ રાહુલને વિકેટકીપર તરીકે તક મળે તેવી શક્યતા છે. સ્પિન વિભાગમાં કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજા હોઈ શકે છે. જ્યારે ઝડપી બોલિંગ વિભાગમાં જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, આવેશ ખાન અને અર્શદીપ સિંહ હોઈ શકે છે. જો કે એ પણ સંભવ છે કે વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રિત બુમરાહને વનડે શ્રેણીમાં આરામ આપવામાં આવે.

શ્રીલંકા સામેની વનડે સિરીઝ માટે ભારતની 15 સભ્યોની સંભવિત ટીમ -

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ (વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર), શ્રેયસ ઐયર, રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, આવેશ ખાન અને અર્શદીપ સિંહ.

જો રોહિત, વિરાટ અને બુમરાહને આરામ મળે તો 15 સભ્યોની સંભવિત ટીમ

શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, યશસ્વી જયસ્વાલ, સાઈ સુદર્શન, કેએલ રાહુલ (વિકેટકીપર), શ્રેયસ ઐયર, રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, યાદવ, મોહમ્મદ સિરાજ, ખલીલ અહેમદ, આવેશ ખાન અને અર્શદીપ સિંહ.

  • Follow us on: