- સુનીલ ગાવસ્કરે કર્યો છેકે કોહલી આઇપીએલમાંથી બહાર રહેશે
- વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની ટી-20 સીરિઝ બાદથી ટીમની બહાર
- બીજા બાળકના જન્મને કારણે કોહલી મેદાનની બહાર છે
ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર થયા બાદ વિરાટ કોહલી ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનથી પણ દૂર રહી શકે છે. આ દાવો પૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કરે કર્યો છે. સુનીલ ગાવસ્કરે કહ્યું કે વિરાટ કોહલી કદાચ IPLની 17મી સીઝનમાં રમતા જોવા નહીં મળે. આ પહેલા વિરાટ કોહલીએ તેમના બીજા બાળકના જન્મને કારણે ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી 5 ટેસ્ટ મેચની સીરિઝમાં ભાગ લીધો ન હતો.
હાલ લંડનમાં છે કોહલી
આશા છે કે વિરાટ કોહલી IPL 2024 દ્વારા મેદાનમાં પરત ફરશે. વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની ટી-20 સીરિઝ બાદથી મેદાનથી અંતર જાળવી રહ્યો છે. વિરાટ કોહલી હાલમાં લંડનમાં છે અને નેટ પ્રેક્ટિસથી પણ અંતર જાળવી રહ્યો છે. કોહલીના આઈપીએલ રમવા પર ઉઠાવવામાં આવી રહેલા સવાલોના જવાબ આપતા સુનીલ ગાવસ્કરે કહ્યું, "શું તે રમશે, તેના ન રમવા પાછળ કોઈ કારણ છે." બની શકે છે કે તે IPL નહી રમે. આ જ કારણથી તે કદાચ IPL પણ નહીં રમે.”
ના રમવાનો પ્રશ્ન કેમ ઊભો થયો?
વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ સામેની સીરીઝ શરૂ થવાના એક દિવસ પહેલા જ પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. શરૂઆતમાં વિરાટ કોહલીએ અંગત કારણોસર પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. જો કે રાંચી ટેસ્ટ શરૂ થતા પહેલા વિરાટ કોહલીએ સીરિઝમાંથી પોતાનું નામ પાછું ખેંચવાનું કારણ જણાવ્યું. વિરાટ કોહલીએ કહ્યું કે તે બીજી વખત પિતા બન્યો છે.
વિરાટ કોહલી હજુ સુધી ભારત પરત ફર્યો નથી. IPL ના રમવાની સ્થિતિમાં વિરાટ કોહલી માટે આ વર્ષે યોજાનાર T20 વર્લ્ડ કપમાં રમવું મુશ્કેલ બની શકે છે. જો કે, આની શક્યતા ઘણી ઓછી છે કારણ કે વિરાટ કોહલી જેવો ખેલાડી કોઈ પણ સંજોગોમાં આટલી મોટી ટૂર્નામેન્ટ ચૂકવા માંગતો નથી.