• દેશમાં સાયબર છેતરપિંડીના કેસોમાં સતત થઈ રહ્યો છે વધારો
  • તમારા ફોનમાં સ્પાયવેર હશે તો પણ તમને નહીં પડે ખબર
  • સ્પાયવેર તમારો ડેટા અને અન્ય નુકસાન પણ કરી શકે છે

સ્માર્ટફોનનો ઉપયોગ દિવસેને દિવસે વધી રહ્યો છે. આવી સ્થિતિમાં લોકો ઓનલાઈન હોય ત્યારે ખૂબ જ બેદરકાર બની રહ્યા છે. જેના કારણે દેશમાં સાયબર છેતરપિંડીના કેસોમાં પણ ઝડપથી વધારો થયો છે. આવી સ્થિતિમાં સ્માર્ટફોનના કેટલાક સંકેતોને ક્યારેય નજરઅંદાજ ન કરવા જોઈએ. ઘણી વખત લોકોને ખબર પણ નથી પડતી અને તમારા સ્માર્ટફોન પર સાયબર એટેક થઈ જાય છે. આનાથી તમારો ડેટા અને અન્ય નુકસાન પણ થાય છે. એટલા માટે જો તમારા સ્માર્ટફોનમાં પણ આ સંકેતો જોવા મળે તો સમજી લો કે તમારા ફોનમાં પણ કોઈ સ્પાયવેર હાજર છે.

શું તમારા ફોનમાં સ્પાઈવેર છે?

આજની ડિજિટલ દુનિયામાં લોકો તેમના કામ ડિજિટલ રીતે કરવા લાગ્યા છે. આ ઓનલાઈન દુનિયામાં કોઈના પણ ફોનમાં સરળતાથી માલવેર ઈમ્પ્લાન્ટ કરી શકાય છે. હેકર્સ સરળતાથી લોકોને તેમની જારમાં ફસાવી ફોનમાં સ્પાયવેર નાખી દે છે. જો તમારા ફોનમાં સ્પાયવેર હોય તો તમારા ફોનની બેટરી ઝડપથી ખતમ થવા લાગે છે. સ્પાયવેર ફોનના ફીચર્સનો ઉપયોગ કરે છે, જેના કારણે ફોનની બેટરી ઝડપથી ખતમ થવા લાગે છે.

આ સંકેતોથી મળે તો સમજવું ફોનમાં સ્વાઈવેર છે

આ સિવાય તમારા ફોનનો ડેટા પણ ઝડપથી ખતમ થઈ જાય છે. જો તમારા ફોનમાં પણ આવું કંઈક થઈ રહ્યું છે, તો સમજી લો કે તમારા ફોનમાં ચોક્કસપણે કોઈ સ્પાયવેર હાજર છે. આ સિવાય જો તમારા ફોનમાં માઈક, સ્પીકર અને રેકોર્ડિંગ કોઈપણ ફીચરનો ઉપયોગ કર્યા વગર દેખાઈ આવે છે તો તે શંકા પેદા કરે છે. મતલબ કે સ્પાયવેર ગુપ્ત રીતે તમારા ફોનના માઈક, રેકોર્ડર અને કેમેરાનો ઉપયોગ કરી રહ્યું છે.

સ્પાઈવેરથી બચવા માટે શું કરવું

તમે પણ આ સ્પાયવેરથી બચવા માંગતા હોવ તો તમારે પણ થોડી સાવચેતી રાખવી પડશે. સૌથી પહેલા તમારા ફોનને રિસ્ટોર કરો જેથી ફોનમાં રહેલી તમામ એપ્સ અને ડેટા ડિલીટ થઈ જાય છે. ત્યારબાદ પણ તમારો ફોન સારી રીતે નથી ચાલતો તો તરત જ ફોનને સર્વિસ સેન્ટર પર લઈ જાઓ અને ફોન રિપેર થયા પછી જ તેનો ફરીથી ઉપયોગ કરવો જોઈએ.


  • Follow us on: