સિહોનું એકમાત્ર ઘર એટલે કે સાસણગીર, જ્યાં સિંહ દર્શન માટે દેશ-વિદેશથી પર્યટકો અને પ્રવાસીઓ ઉમટી પડે છે. મેંદરડા તાલુકાના ઝીંઝુડા ગુંદાળા નજીક આવેલા ગુંદાળાથી નતાડીયા રોડ ઉપર તેજા ટીંબી ડુંગર તરીકે ઓળખાતા વિસ્તારમાંથી 2.57 હેક્ટર જમીન જે હાલ રેવન્યુ હસ્તકની છે તે જમીન હવે અભયારણ્ય તરીકે આપવામાં આવશે કલેક્ટર દ્વારા તે જમીન વન વિભાગને સોંપવામાં આવશે.

[[$googlead]]

એસએચ-૨૬ માર્ગ ગીર સોમનાથ જિલ્લાને જોડે છે

તંત્ર દ્વારા તે જમીનને અભિયાન તરીકે જાહેર કરવામાં આવશે આ વિસ્તાર હાલ જંગલ જેવો જ છે અને ત્યાં જંગલી પ્રાણીઓના આટા ફેરા પણ દિવસના દિવસે જોવા મળતા હોય છે ત્યારે આ વિસ્તારના સહિતના વન્યજીવોને નવું જંગલ મળશે, જુનાગઢ થી સાસણગીર જવા માટે એસએચ-૨૬ માર્ગ ગીર સોમનાથ જિલ્લાને જોડે છે અને તે સ્થાનિક રહેવાસીઓ તેમજ સાસણ જેવા પર્યટન સ્થળો પર આવતા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

જમીન વન વિભાગને 'વળતર વનીકરણ' માટે તબદીલ કરવાની હોય છે

આ માગને ધ્યાનમાં રાખીને, માર્ગ અને મકાન વિભાગ દ્વારા વન વિભાગના 'પરિવેશ પોર્ટલ' પર ઓનલાઈન દરખાસ્ત કરવામાં આવી હતી
વન વિભાગે શરતોને આધીન આ દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે અને જરૂરી નાણાંની ચૂકવણી પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા વન વિભાગને કરી દેવામાં આવી છે, રસ્તાને પહોળો કરવા માટે આશરે સવા બે હેક્ટર જેટલી વન વિભાગની જમીનની જરૂર છે. વન સંરક્ષણ કાયદા મુજબ, તેના વળતરરૂપે સમકક્ષ અન્ય રેવન્યુ જમીન વન વિભાગને 'વળતર વનીકરણ' માટે તબદીલ કરવાની હોય છે.



  • Follow us on: