પાલક, મેથી અને કોબીજ જેવા શાકભાજીમાં ભેજને કારણે બેક્ટેરિયા અને ઝીણા કીડાઓ ઝડપથી વધે છે.
આ દિવસોમાં પાંદડાવાળા શાકભાજી ખાવાથી પેટમાં ઈન્ફેક્શન, ડાયરિયા અને ફૂડ પોઈઝનિંગ થવાનો ખતરો વધી જાય છે.
આ શાકભાજીના આકારને કારણે તેની અંદર કીડા અને ભેજ સરળતાથી છુપાયેલા રહે છે, જે નરી આંખે દેખાતા નથી.
ચોમાસાની ઋતુમાં રીંગણમાં કીડા પડવાની શક્યતા સૌથી વધુ હોય છે, જે પાચનતંત્રને નુકસાન પહોંચાડી શકે છે.
મશરૂમ ભેજવાળી જગ્યાએ ઉગે છે, જેથી ચોમાસામાં તેના પર હાનિકારક બેક્ટેરિયા અને ફંગસ ઝડપથી ફેલાય છે.
વરસાદની ઋતુમાં આપણી પાચનશક્તિ કુદરતી રીતે જ નબળી થાય છે, જેથી ભારે શાકભાજી પચવામાં મુશ્કેલી પડે છે.
આ સિઝનમાં શાકભાજીના પાક પર દૂષિત પાણી અને કાદવ જમા થવાથી ટાઈફોઈડ કે કમળા જેવા રોગો થઈ શકે છે.
સુરક્ષિત રહેવા માટે ચોમાસામાં દૂધી, ગલકા, તુરીયા અને કારેલા જેવા તાજા વેલાવાળા શાકભાજી ખાવા વધુ હિતાવહ છે.
Disclaimer: આ માહિતી વાચકોને વિગતો પુરી પાડવા માટે છે.વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકો છો.