• પાકિસ્તાન સરકારની મંજૂરી મળ્યા અંજુ ભારત આવશે
  • અંજુ બાળકોને મળીને પાછી ફરશે પાકિસ્તાન:નસરુલ્લાહ
  • પાકિસ્તાને ઓગસ્ટમાં અંજુનો વિઝા એક વર્ષ માટે લંબાવ્યો

અંજુ નામની 34 વર્ષીય ભારતીય મહિલા પ્રેમને પામવા માટે પાકિસ્તાન ગઈ હતી અને તેના તેના ફેસબુક ફ્રેન્ડ નસરુલ્લાહ સાથે લગ્ન કર્યા હતા. અંજુ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના એક દૂરના ગામમાં પહોંચી હતી. તે પાકિસ્તાન સરકારની મંજૂરી મળ્યા બાદ ઘરે પરત ફરશે. બે બાળકોની માતા અંજુના પાકિસ્તાની પતિએ આ માહિતી આપી હતી. પાકિસ્તાને ઓગસ્ટમાં અંજુનો વિઝા એક વર્ષ માટે લંબાવ્યો હતો. ઇસ્લામ ધર્મ અપનાવીને નસરુલ્લાહ સાથે લગ્ન કર્યા બાદ અંજુનું નામ બદલીને ફાતિમા રાખવામાં આવ્યું હતું.

બાળકોને મળીને પાછી ફરશે પાકિસ્તાન

અંજુના પાકિસ્તાની પતિએ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'અમે ઈસ્લામાબાદમાં ગૃહ મંત્રાલય તરફથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી)ની રાહ જોઈ રહ્યા છીએ જેના માટે અમે અરજી કરી દીધી છે. NOC પ્રક્રિયા થોડી લાંબી છે અને તેને પૂર્ણ થવામાં સમય લાગે છે.' અંજુ વાઘા બોર્ડર પર ટ્રાન્ઝિટ માટેના દસ્તાવેજો પૂરા થતાં જ ભારત જશે. તે ભારતમાં તેના બાળકોને મળ્યા બાદ પાકિસ્તાન પરત ફરશે.

અંજુ નસરુલ્લાહ 2019માં મિત્ર બન્યા

અંજુના પાકિસ્તાની પતિએ કહ્યું હતું કે, 'તે ચોક્કસપણે પાછી આવશે કારણ કે પાકિસ્તાન હવે તેનું ઘર છે.' અંજુએ તેના 29 વર્ષીય મિત્ર નસરુલ્લાહ સાથે 25 જુલાઈના રોજ લગ્ન કર્યા હતા જેનું ઘર ખૈબર પખ્તુનખ્વાના અપર ડીર જિલ્લામાં છે. બંને વર્ષ 2019માં ફેસબુક પર મિત્રો બન્યા હતા. જ્યારે અંજુ પાકિસ્તાન ગઈ ત્યારે તે કહેતી હતી કે તે અહીં માત્ર મુલાકાત કરવા આવી છે. પરંતુ બાદમાં તેણે નસરુલ્લાહ સાથે લગ્ન કરી લીધા હતા.


  • Follow us on: