- હમાસના વડા ઈસ્માઈલ હાનિયાની હત્યા પછી ભારતીય દૂતાવાસે એડવાઈઝરી જાહેર કરી
- લેબનોમાં આવેલી ભારતીય દૂતાવાસે ભારતીયોને સાવધાની રાખવા સલાહ આપી
- ભારતીય નાગરિકો માટે ઈ-મેઈલ આઈડી અને ફોન નંબર પર સતત સંપર્કમાં રહેવા સૂચના અપાઈ
ઈરાનની રાજધાની તહેરાનમાં હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાની હત્યા થતા ચકચાર મચી છે. બેરુતમાં હિઝબુલ્લાના ટોપ કમાન્ડરની હત્યા આ ઘટનાઓ પછી મિડલ ઈસ્ટમાં સંઘર્ષ વધી શકે છે. આવામાં તમામ દેશોએ પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. લેબનોન અને ઈઝરાયલની વચ્ચે વધતા તણાવને લઈ ભારત પણ એલર્ટ છે અને લેબનોનમાં ભારતીય દૂતાવાસે પોતાના નાગરિકોને સાવધાન રહેવા માટે સૂચના આપી છે. એડવાઈઝરી જાહેર કરનાર દેશોમાં ઓસ્ટ્રેલિયા, બ્રિટન અને અમેરિકા પણ સામેલ છે.













