- પાકિસ્તાનમાં કાયદેસર રીતે રહેતા કેટલાક અફઘાનીઓને હાલાકી
- શિસ્તભંગના પગલાં લેવા માટે પોલીસ અધિકારીઓ સામે તપાસ શરૂ
- રાવલપિંડીના સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનની હેરાનગતી વધી
પાકિસ્તાનમાં કાયદેસર રીતે રહેતા કેટલાક અફઘાનિસ્તાનોને એક બાળકના મોત સહિત ઉત્પીડનનો સામનો કરવો પડ્યો હતો. અફઘાનિસ્તાન દૂતાવાસની ફરિયાદ બાદ પાકિસ્તાન સરકારના આદેશ પર જવાબદાર જણાયા લોકો સામે શિસ્તભંગના પગલાં લેવા માટે પોલીસ અધિકારીઓ સામે તપાસ શરૂ કરવામાં આવી છે,
આ મહિનાની શરૂઆતમાં ઈસ્લામાબાદમાં અફઘાન દૂતાવાસના અધિકારીઓ અને પાકિસ્તાની અધિકારીઓ વચ્ચેની બેઠક દરમિયાન આ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. અફઘાન અધિકારીઓએ દાવો કર્યો હતો કે બે અફઘાન નાગરિકો- યાસિન અને મુહમ્મદ અલા, જેઓ અફઘાન શરણાર્થી કાર્ડ માટે નોંધણીના પુરાવા (પીઓઆર) ધારકો છે, તેઓને રાવલપિંડીના સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા હેરાન કરવામાં આવ્યા હતા અને તેમને ધમકી આપવામાં આવી હતી. અફઘાન અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે, પોલીસ અધિકારીઓએ તેમની પાસેથી પૈસાની પણ માંગણી કરી હતી.













