• જમીનનો વિવાદ ત્રણ ધર્મ સાથે જોડાયેલો છે
  • ખ્રિસ્તી સમુદાય કહે છે પોતાની વાત
  • મુસ્લિમોએ કર્યો પોતાના સંત અંગેનો દાવો

તારીખ 7 ઑક્ટોબરની રાત્રે જ્યારે દુનિયા ઊંઘી રહી હતી ત્યારે હમાસે અચાનક રોકેટ વડે અસંખ્ય ઈઝરાયેલી પર હુમલો કર્યો. અહેવાલો અનુસાર આ હુમલામાં હમાસે પાંચ હજારથી સાત હજાર રોકેટ છોડ્યા હતા. આ હુમલામાં 900થી વધુ ઈઝરાયલી માર્યા ગયા હતા. જેના જવાબમાં ઈઝરાયેલે પણ વળતો હુમલો કર્યો હતો. જેમાં ત્રણસોથી વધુ પેલેસ્ટાઈનના મોત થયા હતા. ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વર્ષોથી 35 એકર જમીનના ટુકડા માટે લડી રહ્યા છે. માત્ર 35 એકર જમીનનો ટુકડો છે, જેના માટે વર્ષોથી બે દેશ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.

હજારો લોકોએ જીવ ગુમાવ્યા

જે યુદ્ધમાં હજારો લોકોના જીવ ગયા છે. આ 35 એકર જમીનના માલિકી હક્ક અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. હમાસનો હુમલો અને તેના જવાબમાં ઈઝરાયેલ દ્વારા ભારે બોમ્બમારો માત્ર 35 એકર જમીનના ટુકડાને કારણે આ યુદ્ધ વર્ષોથી ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહ્યું છે. જેરુસલેમમાં 35 એકર જમીનના ટુકડા પર એક જગ્યા છે, જે ત્રણ ધર્મોની હોવાનું માનવામાં આવે છે. યહૂદીઓ આ જગ્યાને હર-હવાઈત અથવા ટેમ્પલ માઉન્ટ કહે છે. જ્યારે મુસ્લિમો તેને હરામ-અલ-શરીફ કહે છે. આ જગ્યા એક સમયે પેલેસ્ટાઈનના કબજામાં હતી. બાદમાં ઈઝરાયેલે તેને પોતાના કબજામાં લઈ લીધી. પરંતુ તેમ છતાં, આજનું સત્ય એ છે કે 35 એકર જમીન પર સ્થિત ટેમ્પલ માઉન્ટ અથવા હરમ અલ શરીફ ન તો ઇઝરાયલના નિયંત્રણમાં છે કે ન તો પેલેસ્ટાઇનના. તેના બદલે, આ આખી જગ્યા સંયુક્ત રાષ્ટ્ર હેઠળ છે.

ખિસ્તીઓનો કબજો હતો

આ 35 એકર જમીનનો ટુકડો છે. જેના પર સેંકડો વર્ષો પહેલા ખ્રિસ્તીઓએ કબજો કર્યો હતો. પરંતુ આ જગ્યા 1187માં મુસ્લિમોએ કબજે કરી લીધી હતી. ત્યારથી લઈને 1948 સુધી તે માત્ર મુસ્લિમોના નિયંત્રણમાં હતી. પરંતુ તે પછી 1948માં ઈઝરાયેલનો જન્મ થયો. ત્યારથી જમીનના આ ટુકડાને લઈને સમયાંતરે તકરાર થવા લાગી. મુસ્લિમ માન્યતાઓ અનુસાર, હરામ-અલ-શરીફ તેમના માટે મક્કા અને મદીના પછી ત્રીજું પવિત્ર સ્થળ છે. મુસ્લિમ ધાર્મિક ગ્રંથ કુરાન અનુસાર, એક સંત ઉડતા ઘોડા પર સવાર થઈને મક્કાથી હરમ અલ શરીફ પહોંચ્યા હતા. અહીંથી તે સ્વર્ગમાં ગયા. આ માન્યતા અનુસાર જેરુસલેમમાં આ જ હરમ અલ શરીફ પર એક મસ્જિદ બનાવવામાં આવી હતી. જેનું નામ અલ અક્સા મસ્જિદ છે.

મુસ્લિમોની પવિત્ર મસ્જિદ

એવું માનવામાં આવે છે કે આ મસ્જિદ તે જગ્યાએ બનાવવામાં આવી છે. જ્યાં જેરુસલેમ પહોંચ્યા પછી પવિત્ર એ સંતે પગ મૂક્યા હતા. અલ અક્સા મસ્જિદ પાસે એક સુવર્ણ ગુંબજની ઇમારત છે. તેને ડોમ ઓફ ધ રોક કહેવામાં આવે છે. મુસ્લિમ માન્યતા અનુસાર, આ એ જ જગ્યા છે જ્યાંથી સંત સ્વર્ગમાં ગયા હતા. આ કારણોસર અલ અક્સા મસ્જિદ અને ડોમ ઓફ ધ રોક મુસ્લિમો માટે ખૂબ જ પવિત્ર સ્થાનો છે. એટલા માટે તેઓ આ જગ્યા પર પોતાનો દાવો કરે છે.

35 એકર જમીન અંગે વિવાદ

યહૂદીઓ માને છે કે તેમનું ટેમ્પલ માઉન્ટ જેરુસલેમમાં તે જ 35-એકર જમીન પર છે. એટલે કે તેમના ભગવાને જ્યાં માટી રાખી હતી. જેમાંથી આદમનો જન્મ થયો. યહૂદીઓ માને છે કે આ એ જ જગ્યા છે જ્યાં ભગવાને અબ્રાહમને બલિદાન આપવા કહ્યું હતું. અબ્રાહમને બે પુત્રો હતા. એક ઈસ્માઈલ અને બીજો ઈસાક. અબ્રાહમે ઈશ્વરની તરફેણમાં આઈઝેકનું બલિદાન આપવાનું નક્કી કર્યું. પરંતુ યહૂદી માન્યતાઓ અનુસાર, દેવદૂતે આઇઝેકની જગ્યાએ એક ઘેટું મૂક્યું હતું. જ્યાં આ ઘટના બની તે સ્થળનું નામ ટેમ્પલ માઉન્ટ છે. તેનો ઉલ્લેખ યહૂદીઓના ધાર્મિક ગ્રંથ હિબુ બાઇબલમાં છે. પાછળથી આઇઝેકને એક પુત્ર થયો. જેનું નામ જેકબ હતું. જેકબનું બીજું નામ ઈઝરાયેલ હતું. આઇઝેકના પુત્ર ઇઝરાયેલને પાછળથી 12 પુત્રો થયા. તેઓના નામ ઇઝરાયેલની બાર જાતિઓ હતા.

બે વખત મંદિર બનાવ્યું

યહૂદી માન્યતા અનુસાર, આ જાતિઓની પેઢીઓએ પાછળથી યહૂદી રાષ્ટ્રની રચના કરી. શરૂઆતમાં તેને લેન્ડ ઓફ ઈઝરાયેલ નામ આપવામાં આવ્યું હતું. ઇઝરાયેલની આ જમીન 1948માં ઇઝરાયેલના દાવાનો આધાર બની હતી. યહૂદીઓએ ઇઝરાયેલની ભૂમિ પર મંદિર બનાવ્યું. જેનું નામ પ્રથમ મંદિર હતું. તેનું નિર્માણ ઇઝરાયેલના રાજા સુલેમાને કરાવ્યું હતું. બાદમાં આ મંદિરને દુશ્મન દેશોએ નષ્ટ કરી દીધું હતું. થોડાક સો વર્ષ પછી, યહૂદીઓએ તે જ જગ્યાએ ફરીથી મંદિર બનાવ્યું. તેનું નામ બીજું મંદિર હતું. આ બીજા મંદિરના આંતરિક ભાગને હોલી ઓફ હોલીઝ કહેવામાં આવતું હતું. યહૂદીઓના મતે, આ તે પવિત્ર સ્થળ હતું જ્યાં ખાસ પાદરીઓ સિવાય યહૂદીઓને પણ જવાની મંજૂરી ન હતી. આ જ કારણ છે કે ખુદ યહૂદીઓએ પણ બીજા મંદિરના હોલી ઓફ હોલીઝનું સ્થળ જોયું નથી. પરંતુ 1970માં રોમન આને પણ તોડી નાખ્યું. પરંતુ આ મંદિરની એક દીવાલ અકબંધ રહી. આ દિવાલ હજુ પણ અકબંધ છે. આ દિવાલને યહૂદી પશ્ચિમી દિવાલ કહેવામાં આવે છે.

ત્રણ ધર્મ માટે મહત્ત્વની જગ્યા

હવે સવાલ એ થાય છે કે, જ્યારે આ 35 એકર જમીનનો ટુકડો ત્રણ ધર્મો માટે આટલો મહત્વનો છે તો અત્યારે તેના પર કોનો કબજો છે? આ ધાર્મિક સ્થળોની જાળવણીની જવાબદારી કોની છે? અને શા માટે યહૂદીઓ અને મુસ્લિમો આ માટે એકબીજામાં લડતા રહે છે? 1187 પહેલા કેટલાક સમય માટે, હરમ અલ શરીફ અથવા ટેમ્પલ માઉન્ટ ખ્રિસ્તીઓના નિયંત્રણ હેઠળ હતું. પરંતુ 1187 માં, હરમ અલ શરીફ મુસ્લિમો દ્વારા કબજે કરવામાં આવ્યું હતું. આ પછી, હરમ અલ શરીફનું સમગ્ર સંચાલન એટલે કે જાળવણીની જવાબદારી વકફ એટલે કે ઇસ્લામિક ટ્રસ્ટને આપવામાં આવી. ત્યારથી લઈને 1948 સુધી, ઈસ્લામિક ટ્રસ્ટ હરમ અલ શરીફનું સંચાલન જોઈ રહ્યું હતું. આ સમયગાળા દરમિયાન આ સ્થળે બિન-મુસ્લિમોનો પ્રવેશ ન હતો.

આ રીતે બન્યો યહૂદી દેશ

1948 પહેલા હરમ અલ શરીફ પેલેસ્ટાઈનનો એક ભાગ હતો. જો કે, ત્યારે પણ કેટલાક યહૂદીઓ અહીં શરણાર્થી તરીકે રહેતા હતા. પરંતુ તે સમયે પેલેસ્ટાઈન અંગ્રેજોના આધીન હતું. 1948માં અંગ્રેજોએ પેલેસ્ટાઈનના બે ટુકડા કરી નાખ્યા. જેમ અંગ્રેજોએ 1947માં ભારતને બે ભાગમાં વહેંચી દીધું હતું. ત્યારબાદ સમગ્ર પેલેસ્ટાઈનની ભૂમિમાંથી 55 ટકા પેલેસ્ટાઈનના હિસ્સામાં અને 45 ટકા ઈઝરાયેલના હિસ્સામાં આવી. આ પછી તારીખ 14 મે, 1948 ના રોજ, ઇઝરાયેલે પોતાને એક સ્વતંત્ર દેશ જાહેર કર્યો. આ રીતે વિશ્વમાં પ્રથમ વખત એક યહૂદી દેશનો જન્મ થયો.

  • Follow us on: