- ઈઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહુએ ગાઝા પટ્ટીમાં ધામા
- ઇઝરાયેલ 150 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે
- કરાર આધારીત હમાસ 50 બંધકોને કરશે મુક્ત
ઈઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહુએ ગાઝા પટ્ટીમાં નવી વસાહત બનાવવાની શરૂઆત કરી છે. તેનો શિલાન્યાસ કરવા માટે નેતન્યાહુ પોતે ગાઝા પહોંચ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે આ પહેલી કોલોની નથી, આવનારા સમયમાં આવી બીજી ઘણી કોલોનીઓ બનાવવામાં આવશે.
યુદ્ધવિરામમાં બંને દેશો વચ્ચે કેટલીક સમજૂતી
ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યું છે. આ યુદ્ધવિરામમાં બંને દેશો વચ્ચે કેટલીક સમજૂતીઓ થઈ હતી. જ્યારે હમાસ 50 બંધકોને મુક્ત કરશે, જ્યારે ઇઝરાયેલ 150 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે. બંધકોની મુક્તિ વચ્ચે ઈઝરાયેલે પેલેસ્ટાઈનમાં એક નવું પગલું ભર્યું છે. ઈઝરાયેલે ગાઝામાં એક વસાહત બનાવવાનું શરૂ કર્યું, જેનું ઉદ્ઘાટન કરવા ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ પોતે પહોંચ્યા હતા.
ઈઝરાયેલની ઓફીર નામની આ વસાહત બનાવાઇ
ઈઝરાયેલની ઓફીર નામની આ વસાહત ગાઝા પટ્ટીમાં બનાવવામાં આવી રહી છે. તેનો પાયો રાત્રે નાખવામાં આવ્યો હતો. આ નવી વસાહત ઇઝરાયલી વસાહતી ઓફિર લેબેનસ્ટેઇનના નામ પર સ્થાપિત કરવામાં આવશે જેઓ હમાસ દ્વારા 7 ઓક્ટોબરના હુમલામાં માર્યા ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે માત્ર આ કોલોની જ નહીં પરંતુ આવનારા સમયમાં બીજી ઘણી કોલોનીઓ બનાવવાની તૈયારીઓ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈઝરાયેલ આ નવી કોલોનીઓમાં યહૂદીઓને વસાવવાની યોજના બનાવી રહ્યું છે.
યુદ્ધવિરામના દિવસો વધી રહ્યા છે
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ સતત લંબાવવામાં આવી રહ્યો છે. રેડક્રોસની મદદથી બંને દેશો વચ્ચે બંધકોને મુક્ત કરવામાં આવી રહ્યા છે. યુદ્ધવિરામના છઠ્ઠા દિવસે પણ ઘણા બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા. મુક્ત કરવામાં આવેલા બંધકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામની અવધિ શરૂઆતમાં ચાર દિવસ માટે નક્કી કરવામાં આવી હતી, જે બાદમાં બે દિવસ માટે લંબાવવામાં આવી હતી. બીજા બે દિવસ પછી તેને ફરીથી 24 કલાક માટે લંબાવવામાં આવ્યો છે. યુદ્ધવિરામને લઈને ઈઝરાયલે જોકે સ્પષ્ટ કર્યું હતું કે યુદ્ધવિરામ સમાપ્ત થયા બાદ તે ફરીથી હુમલા શરૂ કરશે. ઈઝરાયેલે સ્પષ્ટ કહ્યું છે કે જ્યાં સુધી હમાસનો ખાત્મો નહીં થાય ત્યાં સુધી તે યુદ્ધ સમાપ્ત નહીં કરે.