• પીએમ મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી વચ્ચે વાતચીત
  • વિદેશ મંત્રી એસ જયશંકરે આપી માહિતી
  • ભારતે યુક્રેન સાથે 4 મહત્વના કરારો પર હસ્તાક્ષર કર્યા

રશિયા-યુક્રેન યુદ્ધને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી વચ્ચે લાંબા સમય સુધી વાતચીત ચાલી હતી. વિદેશ મંત્રી એસ જયશંકર દ્વારા માહિતી આપવામાં આવી હતી. તેમણે માહિતી આપી હતી કે યુક્રેનિયન પક્ષ વૈશ્વિક શાંતિ સમિટમાં ભારતની સતત ભાગીદારી ઈચ્છે છે.

યુક્રેનને તબીબી સહાય માટે ભીષ્મ ક્યુબ સોંપ્યા

પીએમ મોદીએ શાંતિમાં ફાળો આપતા નવીન ઉકેલો વિકસાવવા માટે તમામ હિતધારકો વચ્ચે વ્યવહારિક જોડાણ માટે હાકલ કરી હતી. આ સમયગાળા દરમિયાન ભારતે યુક્રેન સાથે 4 મહત્વના કરારો પર હસ્તાક્ષર કર્યા અને યુક્રેનને તબીબી સહાય માટે ભીષ્મ ક્યુબ પણ સોંપ્યા.

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પીએમ મોદીનો આભાર માન્યો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કિવમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને આ સહાય પૂરી પાડી હતી. તેમાં યુદ્ધ પીડિતોની સારવાર અને ઓપરેશનને લગતી દવાઓ સહિત તમામ તબીબી સાધનો છે. ઝેલેન્સકીએ આ માટે પીએમ મોદીનો આભાર માન્યો હતો.

વિદેશ મંત્રી જયશંકરે રશિયા-યુક્રેન યુદ્ધ પર શું કહ્યું?

વિદેશ મંત્રીએ કહ્યું કે વડા પ્રધાન મોદીએ મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની તેમની તાજેતરની ચર્ચાઓ વિશે ઝેલેન્સકી સાથે પણ વાત કરી હતી. બંને નેતાઓ વચ્ચેની મોટાભાગની વાતચીત રશિયા-યુક્રેન યુદ્ધ પર આધારિત હતી. વિદેશ મંત્રી જયશંકરે રશિયા-યુક્રેન યુદ્ધ પર કહ્યું કે ભારત માને છે કે બંને પક્ષોએ સમાધાન શોધવા માટે એકબીજા સાથે વાતચીત કરવી જોઈએ.

  • Follow us on: