•  13 માર્ચે સતત ત્રીજીવાર વડાપ્રધાન પ્રચંડે ત્રીજીવાર વિશ્વાસ મત જીત્યો હતો
  • સોમવારે નેપાળની સંસદમાં 18 મહિનાની અંદર ચોથીવાર વિશ્વાસ મત મેળવ્યો
  • પ્રંચડને 275 સભ્યોની પ્રતિનિધિ સભામાં 157 વોટ મળ્યા હતા

 

પાડોશી દેશ નેપાળમાં વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રંચડે સોમવારે ફરી સંસદમાં ચોથીવાર વિશ્વાસ મત મેળવી લીધો છે. તેમને પીએનો પદભાર સંભાળ્યાના 18 મહિનાની અંદર ચાર વખત આ વિશ્વાસ મત મેળવ્યો છે. આ દરમિયાન મુખ્ય વિપક્ષ નેતા નેપાળી કોંગ્રેસે સૂત્રોચ્ચાર સાથે તેઓ મતદાનથી દૂર રહ્યું હતું. નેપાળના પ્રતિનિધિ સભામાં ત્રીજીવાર સૌથી મોટી પાર્ટી કમ્યૂનિસ્ટ પાર્ટી ઑફ નેપાળના નેતા પ્રંચડને 275 સભ્યોની પ્રતિનિધિ સભામાં 157 વોટ મળ્યા હતા.

કુલ 158 સાંસદોએ મતદાનમાં ભાગ લીધો હતો. મુખ્ય વિપક્ષી પાર્ટી નેપાળી કોંગ્રેસે મતદાન પ્રક્રિયાનો બહિષ્કાર કર્યો હતો અને નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન રબી લામિછાને વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. લામિછાને પર સહકારી ભંડોળના દુરુપયોગનો આરોપ છે. વિરોધ પક્ષના આ સૂત્રોચ્ચારને કારણે મતદાન પ્રક્રિયામાં વિલંબ થયો હતો. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના એક સભ્ય મતદાન દરમિયાન તટસ્થ રહ્યા હતા. ગૃહના સ્પીકર રાજ ઘીમીરેએ જાહેરાત કરી કે પ્રચંડે સંસદમાં બહુમતી સાથે વિશ્વાસ મત જીતી લીધો છે. ગઠબંધન ભાગીદારોમાંના એક, જનતા સમાજવાદી પાર્ટી (JSP) એ ગયા અઠવાડિયે ગઠબંધન સરકારને ટેકો પાછો ખેંચી લીધાના દિવસો પછી આ તાકાતનો દેખાવ આવ્યો.

પીએમને 138 મતની જરૂર હતી

સરકારને વિશ્વાસ મત જીતવા માટે ઓછામાં ઓછા 138 મતની જરૂર હતી. અગાઉ નેપાળી કોંગ્રેસના અવરોધને કારણે મતદાનમાં વિલંબ થયો હતો. નેપાળી કોંગ્રેસે કૌભાંડમાં લામિછાનેની કથિત સંડોવણીની તપાસ માટે સંસદીય તપાસ સમિતિની રચના કરવાની માંગ કરી હતી. ડિસેમ્બર 2022માં પ્રચંડે વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારથી સંસદમાં આ ચોથી વખત વિશ્વાસ મત યોજાયો છે.

  • Follow us on: