- પાડોશી દેશ નેપાળમાં ફરી સરકાર ભીંસમાં મૂકાઈ
- વડાપ્રધાન પુષ્પકમલ દહલ 20મી મેએ વિશ્વાસ મત મેળવશે
- નેપાળની સંસદમાં બહુમત સાબિત કરવા 138 મતની જરૂર પડશે
પાડોશી દેશ નેપાળમાં વડાપ્રધાન પુષ્પકમલ દહલ પ્રચંડ 20મેના રોજ નેપાળની સંસદમાં વિશ્વાસ મત મેળવશે. આ તેમના પદ સંભાળ્યાના 18 મહિનામાં સતત ચોથીવાર વિશ્વાસ મત લેવાઈ રહ્યો છે. એક ગઠબંધન સહયોગી દ્વારા તેમની સરકારનો ટેકો પરત લેવા કેટલાક દિવસ પહેલા તેમને વિશ્વાસ મતનો સામનો કરવો પડયો હતો. પ્રચંડ નેપાળની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે સંકળાયેલા છે. તેમની પાર્ટી પ્રતિનિધિ સભામાં ત્રીજીવાર સૌથી મોટી પાર્ટી છે. વિશ્વાસ મત મેળવવાનો નિર્ણય 13 મેના રોજ ઉપેન્દ્ર યાદવની આગેવાની ધરાવતી સમાજવાદી પાર્ટી નેપાળ દ્વારા પાર્ટીમાં વિભાજન પછી સરકાર પાસેથી પોતાનો ટેકો પરત લીધા પછી કરાયું છે.
યાદવે નાયબ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું હતું અને તેમની પાર્ટી સરકારમાંથી બહાર થઈ ગઈ હતી. પ્રતિનિધિ સભાના સહાયક પ્રવક્તા દશરથ ધમાલાના જણાવ્યા અનુસાર, "વડાપ્રધાન નેપાળના બંધારણની કલમ-100 કલમ 2 અનુસાર વિશ્વાસનો મત માંગી રહ્યા છે." ધમાલાએ કહ્યું કે વડાપ્રધાન કાર્યાલય અને મંત્રી પરિષદે પહેલાથી જ આ મામલે સંસદ સચિવાલયને જાણ કરતો પત્ર મોકલી દીધો છે. જો વડા પ્રધાન જે પક્ષનું પ્રતિનિધિત્વ કરે છે તે વિભાજિત થાય છે અથવા ગઠબંધન સરકારના સભ્ય સમર્થન પાછું ખેંચે છે, તો વડાપ્રધાને 30 દિવસની અંદર વિશ્વાસનો મત મેળવવો પડશે.













