ચીન અને નેપાળની સરહદે આવેલા વિસ્તારોમાં બુધવારે આવેલી અચાનક અને ભયાનક પૂરે ભારે તબાહી મચાવી દીધી છે. ગુરુવાર સુધીમાં ઓછામાં ઓછા 469 લોકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે, જ્યારે 1,500થી વધુ લોકો ગુમ હોવાનું કહેવાય છે. ગુમ થયેલા લોકોમાં મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ, ટ્રેકર્સ, શ્રદ્ધાળુઓ અને મજૂરો સામેલ છે, જેઓ માઉન્ટ કૈલાશની યાત્રા કે ટ્રેકિંગ માટે પહોંચ્યા હતા. પૂરની તીવ્રતા એટલી ભયાનક હતી કે વિશ્વના 30થી વધુ દેશોના નાગરિકો ગુમ થઈ ગયા છે.
જે લોકો ગુમ છે તેમાં 517 વિદેશી નાગરિકો છે
નેપાળના આપદા પ્રબંધન પ્રાધિકરણ અનુસાર દેશમાં ઘટેલી દુર્ઘટનામાં જે લોકો ગુમ છે તેમાં 517 વિદેશી નાગરિકો છે.નેશનલ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર ગુમ થયેલા લોકોમાં 113 નેપાળી પ્રવાસીઓ,સેના અને પોલીસના 85 જવાનો, રસુવા જિલ્લાના 161 અને નુવાકોટ જિલ્લાની 1 વ્યક્તિ સામેલ છે. બીજી તરફ, ચીનના તિબેટ સ્થિત ગિયિરોંગ કાઉન્ટીમાં 3 લોકોના મોત થયા છે અને 558 લોકો ગુમ છે,જેમાં 260 વિદેશીઓ છે.

