મોજતબા ખામેની તેમના પિતા આયાતુલ્લાહ અલી ખામેની માટે તેહરાનમાં સ્મારક સેવાનું આયોજન કરાયુ છે. 

શોકસભાનું આયોજન 

સ્વર્ગસ્થ ઈરાની નેતા માટે એક મેળાવડો 23 જુલાઈ મંગળવારના રોજ સાંજે 5થી7 કલાક સુધી યોજાશે. નોટિસમાં તેને શહીદ મુજાહિત ઇમામ માટે સ્મારક સેવા તરીકે વર્ણવવામાં આવ્યું છે. ઈરાનના નવા સર્વોચ્ચ નેતા તેમના પિતાના મૃત્યુ પછી જાહેરમાં જોવા મળ્યા નથી. પરંતુ હજુ સુધી સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી નથી કે તેઓ હાજરી આપશે કે નહીં. મુજતબાના ત્રણ ભાઈઓ સાપ્તાહિક શોક સમારોહમાં હાજરી આપી હતી.

ખામેનીએ સેવામાં નમાઝનું નેતૃત્વ કર્યું

અગાઉ, મુજતબાએ ખામેનીના સાપ્તાહિક શોક સમારોહમાં હાજરી આપી ન હતી. જોકે, તેમના ત્રણ ભાઈઓ, મુસ્તફા, મેયસમ અને મસૂદ ખામેનીએ સેવામાં નમાઝનું નેતૃત્વ કર્યું હતું. તેઓ ઇમામ ખોમેનીના ગ્રાન્ડ મોસલ્લા ખાતે શબપેટીઓ પાસે ઉભા હતા, જ્યાં હજારો લોકો હાજર હતા. આયાતુલ્લા ખામેનીએ, તેમની પુત્રી, જમાઈ, પુત્રવધૂ અને તેમની 14 મહિનાની પૌત્રીના શબપેટીઓ મૂકવામાં આવી હતી.

પિતાના મૃત્યુનો બદલો લેવાની પ્રતિજ્ઞા 

મુજતબા ખામેનીએ ઘણી પોસ્ટ્સ પ્રકાશિત કરી હતી જેમાં તેમણે તેમના પિતાનો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી હતી. ઈરાનના ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા, જેમને દફનાવવામાં આવ્યા છે, 28 ફેબ્રુઆરી, 2026 ના રોજ યુએસ અને ઇઝરાયલી હુમલામાં માર્યા ગયા હતા. આનાથી મધ્ય પૂર્વમાં યુદ્ધ શરૂ થયું. સાપ્તાહિક શોક સમયગાળા દરમિયાન પણ હુમલાઓના અહેવાલો સામે આવ્યા.

આ પણ વાંચોઃ હોર્મુઝ સ્ટ્રેટ મામલે ઈરાનમાં આંતરિક વિખવાદ, સરકાર અને IRGC સામસામે