પાકિસ્તાનના ઉત્તરીય વિસ્તારમાં માનસૂનના પ્રકોપ વચ્ચે ચાલી રહેલા બચાવ અભિયાન દરમિયાન એક દુર્ઘટના ઘટી છે. શુક્રવારે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં એક MI-17 હેલિકોપ્ટર ક્રેશ થતાં તેમાં સવાર પાંચ ક્રૂ મેમ્બર્સના મોત થયા છે. આ ઘટના મોહમંદ જિલ્લાના પંડિયાલી વિસ્તારમાં ખરાબ હવામાનને કારણે બની હોવાનું મુખ્યમંત્રી અલી અમીન ગંદાપુરે જણાવ્યું હતું. આ હેલિકોપ્ટર બાજોરના વરસાદગ્રસ્ત વિસ્તારો માટે રાહત સામગ્રી લઈ જઈ રહ્યું હતું. આ દુર્ઘટનાને કારણે પાંચ જવાનોના મોત થતાં સમગ્ર દેશમાં શોકનું વાતાવરણ છે.
ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં દુર્ઘટના












