ઢાકા સ્થિત એક લઘુમતી સંગઠને સરકારના દુષ્કૃત્યોનો પર્દાફાશ કરતો વિગતવાર અહેવાલ બહાર પાડ્યો છે.
જાતીય હુમલાના 28 બનાવો
બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પરના હુમલાઓથી મુહમ્મદ યુનુસની વચગાળાની સરકાર ખુલ્લી પડી ગઈ છે. ઢાકા સ્થિત લઘુમતી સંગઠનોએ હિન્દુઓ પરના હુમલા અંગેના બાંગ્લાદેશ સરકારના અહેવાલને ખોટો ગણાવ્યો છે. સંગઠન દ્વારા જાહેર કરાયેલા નવા અહેવાલ મુજબ 2025માં બાંગ્લાદેશમાં 66 હિન્દુઓની હત્યા કરવામાં આવી હતી. સમગ્ર વર્ષ દરમિયાન બાંગ્લાદેશમાં હિન્દુ મહિલાઓ પર બળજબરીથી જાતીય હુમલાના 28 બનાવો નોંધાયા હતા. ઉગ્રવાદીઓએ 95 મંદિરોનો નાશ કર્યો હતો.
Also Read
Bangladesh Election 2026 News: બાંગ્લાદેશમાં પોતાની સરકાર બનાવવા અમેરિકાના ધમપછાડા, જમાત-એ-ઇસ્લામી સાથે અમેરિકાના રાજદૂતની મુલાકાત
Bangladesh Election 2026 News: અચાનક કેમ વધ્યુ જમાત-એ-ઇસ્લામીનું રાજકીય આકર્ષણ, જાણો શું છે મામલો?
Bangladesh Election 2026 News: બાંગ્લાદેશની ચૂંટણી પહેલા Sheikh Hasina મામલે યુનુસ સરકારે લીધો મોટો નિર્ણય
અહેવાલમાં શું છે?
1. હિન્દુ-બૌદ્ધ-ખ્રિસ્તી એકતા પરિષદ દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ 2025માં ધાર્મિક હિંસાના 522 બનાવો નોંધાયા હતા. દરરોજ હિન્દુઓને લક્ષ્ય બનાવીને સરેરાશ બે હુમલા થયા હતા.
2. બાંગ્લાદેશમાં 61 હત્યાઓના કેસ નોંધાયા હતા. જેમાં 66 હિન્દુઓની હત્યા કરાઇ હતી. ફક્ત ડિસેમ્બરમાં જ ત્રણ હિન્દુ યુવાનોની હત્યા કરવામાં આવી હતી.
3. 2025માં, હિન્દુ ધાર્મિક સ્થળો પર 95 વખત હુમલો કરવામાં આવ્યો હતો. તેમની દુકાનો અને ઘરો પર 102 હુમલા કરવામાં આવ્યા હતા. હિન્દુઓ પર સૌથી વધુ હુમલા બાંગ્લાદેશના ગોપાલગંજ અને મૈમનસિંહ રોડ પર થયા હતા.
બાંગ્લાદેશમાં કેટલા હિન્દુઓ ?
સરકારી માહિતી અનુસાર, બાંગ્લાદેશમાં 13.1 મિલિયન હિન્દુઓ રહે છે. ખાગરાચારી જિલ્લામાં સૌથી વધુ હિન્દુઓ રહે છે. બાંગ્લાદેશની કુલ વસ્તીના આશરે 9 ટકા હિન્દુઓ છે. જ્યારે મુસ્લિમો દેશની વસ્તીના આશરે 88 ટકા છે. બાંગ્લાદેશ 1971 માં સ્વતંત્ર થયું. 1974 માં ત્યાં વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હતી. આ વસ્તી ગણતરીમાં, કુલ વસ્તીના આશરે 13 ટકા હિન્દુઓ હતા. 1990 ના દાયકામાં, બાંગ્લાદેશમાં હિન્દુ વસ્તીમાં ઘટાડો નોંધવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ Himachal Pradeshમાં ભારે હિમવર્ષાથી ખોરવાયુ જન-જીવન, 500થી વધુ રસ્તાઓ પર ટ્રાફિક જામ










