નવી દિલ્હીમાં આયોજિત BRICS સમિટ 2026 દરમિયાન પશ્ચિમ એશિયાના ભૂ-રાજકીય સમીકરણોમાં મહત્વપૂર્ણ મોડ આવ્યો છે. ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. મસૂદ પેઝેશ્કિયાન અને સંયુક્ત આરબ અમીરાત (UAE) ના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા પ્રાદેશિક તણાવ વચ્ચે આ મુલાકાત શાંતિ અને સ્થિરતાની દિશામાં અત્યંત ગંભીર માનવામાં આવી રહી છે.

નવી દિલ્હીમાં ઈરાન અને UAE ના નેતાઓ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક

આ બેઠક અંગે પ્રતિક્રિયા આપતા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આઇરિશ ઓપન ગોલ્ફ ચેમ્પિયનશિપ દરમિયાન પત્રકારો સાથે વાતચિત કરતા જણાવ્યું હતું કે, "મને આ બેઠકથી કોઈ વાંધો નથી, તે તેમના પર નિર્ભર છે." આ સાથે જ ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે ઈરાન સાથેનો સંઘર્ષ આ વર્ષે મધ્યસત્ર ચૂંટણીઓ બાદ સમાપ્ત થઈ શકે છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, ઈરાન કરાર કરવા માટે સતત સંપર્ક કરી રહ્યું છે, પરંતુ અમેરિકા માત્ર પોતાના હિતમાં હોય તેવો યોગ્ય સોદો જ કરશે. યુદ્ધના અંતથી વૈશ્વિક સ્તરે ઇંધણના ભાવમાં મોટો ઘટાડો થશે તેવો દાવો પણ તેમણે કર્યો હતો.

મને આ બેઠકથી કોઈ વાંધો નથી

https://twitter.com/Iran_in_India/status/2098757325951733883

મસૂદ પેઝેશ્કિયાને સ્પષ્ટતા કરી 

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને સ્પષ્ટતા કરી હતી કે તેહરાનને UAE કે અન્ય ખાડી દેશો સામે કોઈ વાંધો નથી. તેમણે ઉમેર્યું કે ઈરાનનો વાંધો માત્ર પ્રદેશમાં આવેલા અમેરિકી સૈન્ય થાણાઓ સામે છે, જેનો ઉપયોગ ઈરાની માળખાકીય સુવિધાઓ અને નેતાઓ પર હુમલો કરવા માટે થઈ રહ્યો છે.

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ પર ઊંડી ચિંતા

દરમિયાન, BRICS દેશોના નેતાઓએ સર્વસંમતિથી 'નવી દિલ્હી ઘોષણા 2026' અપનાવી છે. આ ઘોષણાપત્રમાં પશ્ચિમ એશિયામાં વધતા તણાવ પર ઊંડી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. વિશ્વ નેતાઓએ તમામ પક્ષોને મહત્તમ સંયમ રાખવા, નાગરિકો અને માળખાકીય સુવિધાઓનું રક્ષણ કરવા તેમજ તમામ દેશોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનો આદર કરીને રાજદ્વારી માર્ગે ઉકેલ લાવવા આહ્વાન કર્યું છે.

આ પણ વાંચો: World News: ઓમાનના દરિયાકાંઠે જહાજ MT El Gaia પર હુમલો! 13 ભારતીયોને બચાવાયા, 1 ની શોધખોળ ચાલુ