પીએમ મોદી હાલ યૂકેના પ્રવાસે છે. જ્યાં બન્ને દેશ વચ્ચે ટ્રેડ ડીલ કરવામાં આવી છે. પીએમ મોદી અને બ્રિટિશ પીએમ કીર સ્ટાર્મર વચ્ચે મુલાકાત યોજાઇ હતી. આ મુલાકાત દરમિયાન વેપારી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ફ્રી ટ્રેડ ડીલ એટલે FTA પર સાઇન કરવામાં આવ્યા હતા. મોદી અને યૂકના પીએમ કીર સ્ટાર્મરે આ કરાર પર સહમતિ દર્શાવી હતી. આ ડીલ દ્વારા બન્ને દેશને ભવિષ્યમાં ફાયદો થશે. તેવો વિશ્વાસ બન્ને દેશના પીએમે વ્યક્ત કર્યો હતો.


ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ

ભારત અને બ્રિટનની વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર સાઇન કરવામાં આવ્યા હતા. પીએમ મોદી અને બ્રિટનના પીએમ કીર સ્ટાર્મરે લંડનથી 40 કિમી દૂર સદીઓ જુની હવેલીમાં મુલાકાત કરી હતી. આ ઐતિહાસિક મુલાકાતની વચ્ચે ઐતિહાસિક કરાર પણ કરવામાં આવ્યા હતા. બન્ને દેશના પીએમે સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને કરાર મામલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ બ્રિટિશ પીએમને ભારત આવવા માટે આમંત્રણ આપ્યુ છે. પીએમ મોદીએ આતંકવાદ પર વાત કરતા જણાવ્યુ હતુ કે, આતંક માટે કોઇ માપદંડ નથી. આતંકને ખત્મ કરવા માટે એકતા હોવી જરુરી છે.

બન્ને પીએમની સંયુક્ત પત્રકાર પરિષદ

પીએમ મોદીએ અમદાવાદ વિમાન ક્રેશ દુર્ઘટનામાં યૂકેના માર્યા ગયેલા યાત્રીઓને શ્રદ્ધાંજલિ આપી હતી. અને મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. આ ઉપરાંત પીએમ મોદીએ વેપારી કરાર મામલે જણાવ્યુ હતુ કે, આગામી સમયમાં આ કરાર સૌથી વધુ ઉપયોગી સાબિત થશે. અને વેપાર માટે બન્ને દેશના દરવાજા ખુલ્લા રહેશે. યૂકેમાં સ્થાયી થયેલા ભારતીયો સાથે પણ પીએમ મોદીએ મુલાકાત કરી હતી. ઉષ્માભર્યુ સ્વાગત કરવા માટે પીએમ મોદીએ બ્રિટનનો આભાર માન્યો હતો. 

  • Follow us on: