ચીનના માનવયુક્ત અંતરિક્ષ મિશનમાં મોટો ઝટકો લાગ્યો છે. ચીનના સ્પેસ સ્ટેશનથી સૂક્ષ્મ અંતરિક્ષ કાટમાળની ટક્કરને કારણે બુધવારે નિર્ધારિત અંતરિક્ષ યાત્રીઓની વાપસીને હાલ ટાળી દેવામાં આવી છે. આ જાણકારી ચાઇના મેનડ સ્પેસ એજન્સી દ્વારા જાહેર કરવામાં આવી છે. આ નિર્ણય અંતરિક્ષ યાત્રીઓની સુરક્ષા અને મિશનની સફળતાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.


ત્રણ અંતરિક્ષ યાત્રીઓની વાપસી ટળી

ચીન દર 6 મહિનામાં પોતાના સ્પેસ સ્ટેશન દળની અદલા બદલી કરે છે. ગયા શનિવારે શેનઝોઉ-20 અંતરિક્ષ યાનને શેનઝોઉ 21 ક્રૂની સાથે કક્ષામાં હેન્ડઓવર પ્રક્રિયા પૂરી કરી હતી. અંતરિક્ષ સ્ટેશનની ચાવીઓ મંગળવારે ઔપચારિક રૂપથી સોંપી દેવામાં આવી હતી. શેનઝોઉ-20ના ત્રણ અંતરિક્ષ યાત્રી જેમાં ચેન ડોંગ, ચેન ઝોગરૂઇ અને વાંગ જીએ પોતાના નિર્ધારિત દરેક કાર્ય પૂરૂ કરી ચૂક્યા છે અને બુધવારે ઇનર મંગોલિયાના ડોંગફેંગ લેન્ડિંગ સાઇટ પર ઉતરવા વાળુ હતુ. પરંતુ કાટમાળ સાથે ટક્કરને કારણે તેની વાપસી અસ્થાયી રૂપથી રોકી દેવામાં આવી છે. આ વચ્ચે ચીને હાલમાં જ શેનઝોઉ-21 અંતરિક્ષ યાન દ્વારા ત્રણ નવા અંતરિક્ષ યાત્રીઓને દરેક 6 મહિને મિશન પર પોતાના અંતરિક્ષ સ્ટેશન પર મોકલવામાં આવે છે. है।

2030 સુધી ચીની અંતરિક્ષ યાત્રીઓને ચંદ્રમાં પર ઉતારવાની તૈયારી

આ પહેલાં ચીને જાહેરાત કરી હતી કે તે વર્ષ 2030 સુધી પોતાના અંતરિક્ષયાત્રીઓને ચંદ્ર પર ઉતારવાના લક્ષ્ય તરફ સમયબદ્ધ રીતે આગળ વધી રહ્યું છે. ચીન હાલમાં માનવોને ચંદ્ર પર મોકલવા સંબંધિત તમામ સંશોધન અને વિકાસ પ્રોજેક્ટ્સ સુચારુ રીતે આગળ વધી રહ્યા છે. લૉન્ગ માર્ચ-10 રોકેટ, ચંદ્ર લેન્ડિંગ સુટ, અને એક્સપ્લોરેશન વાહન જેવી મહત્વપૂર્ણ યોજનાઓ જોરશોરથી આગળ વધી રહી છે.ચીનનું ક્ષ્ય 2030 સુધી ચીનના એક વ્યક્તિને ચંદ્ર પર ઉતારવાનું છે. 

  • Follow us on: