યુદ્ધવિરામ બાદ પર ઇરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બંધ રાખ્યુ તો યુએસે માર્ગ ખોલવા ધમકી આપી છે.
વૈકલ્પિક માર્ગો પસંદ કરવાની સલાહ
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ જાહેર કરવામાં આવ્યો હોવા છતાં, હુમલાઓ ચાલુ છે. હોર્મુઝ સ્ટ્રેટ હજુ પણ ખુલ્લો નથી. લેબનોનમાં ઈઝરાયલના વારંવારના હુમલાઓને કારણે ઈરાને આ મહત્વપૂર્ણ માર્ગ બંધ કરી દીધો છે. યુદ્ધવિરામ પછી ફક્ત બે થી ત્રણ જહાજો જ પસાર થયા છે. દરમિયાન, તેહરાને ગુરુવારે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો માટે વૈકલ્પિક માર્ગની જાહેરાત કરી. ઈરાને દેશોને સ્ટ્રેટમાં ખાણોના ભયનો ઉલ્લેખ કરીને વૈકલ્પિક માર્ગો પસંદ કરવાની સલાહ આપી છે.
નવો માર્ગ કેવો હશે ?
વૈકલ્પિક માર્ગ કેશમ અને લારક ટાપુઓ વચ્ચે છે, જે તેહરાન ટોલ બૂથ કોરિડોરને બાયપાસ કરવા માટે રચાયેલ છે. આ કોરિડોર IRGC દ્વારા નિયંત્રિત છે. બીજી બાજુ, બહાર જતા જહાજો માટેનો નિયુક્ત માર્ગ હવે લારક ટાપુની દક્ષિણે પસાર થાય છે. આ માર્ગ સંપૂર્ણપણે ઈરાની પ્રાદેશિક પાણીની અંદર રહે છે, જેના કારણે જહાજો IRGCની તપાસ હેઠળ રહે છે. ઈરાને જણાવ્યું હતું કે, હોર્મુઝ સ્ટ્રેટમાં પ્રવેશતા જહાજોએ ઓમાન સમુદ્રથી લારક ટાપુના ઉત્તરીય ભાગ દ્વારા પર્સિયન ગલ્ફ તરફ આગળ વધવું જોઈએ.
યુદ્ધવિરામ પછી પણ હોર્મુઝ બંધ
ઈઝરાયલ દ્વારા લેબનોનમાં હુમલાઓ તીવ્ર બનાવવાના જવાબમાં ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધો છે, જેનાથી તાજેતરના યુદ્ધવિરામને જોખમમાં મુકાઈ ગયો છે. અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની માંગ કરી છે અને શાંતિ વાટાઘાટોને ટ્રેક પર રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ દરમિયાન, ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહ સામે હુમલાઓ વધુ તીવ્ર બનાવ્યા છે. બુધવારે બેરૂતમાં વાણિજ્યિક અને રહેણાંક વિસ્તારોમાં હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ઓછામાં ઓછા 182 લોકો માર્યા ગયા હતા.
આ પણ વાંચોઃ Hormuz Strait: 'ટેક્સ યુદ્ધ' શરુ થવાના એંધાણ, ભારત પર શું પડશે અસર?, જાણો
