વૈજ્ઞાનિકોના એક નવા અને ચોંકાવનારા અભ્યાસમાં ખુલાસો થયો છે કે ૧૯૭૯ થી અત્યાર સુધીમાં ગ્રીનલેન્ડ અને એન્ટાર્કટિકામાંથી ૧.૨ ટ્રિલિયન ટન (૧૨.૫ ટ્રિલિયન ટન સંયુક્ત) થી વધુ બરફ ગાયબ થઈ ચૂક્યો છે. ૨૭ જેટલા ઉપગ્રહ મિશનના ડેટા પર આધારિત આ સંશોધનને જાણીતા 'સાયન્ટિફિક ડેટા' જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ ઝડપથી પીગળતા બરફના કારણે વૈશ્વિક સ્તરે સમુદ્રની સપાટીમાં ૩.૧ સેન્ટિમીટરનો વધારો નોંધાયો છે.

એન્ડ્રુ શેફર્ડે ગંભીર ચેતવણી આપી 

અભ્યાસના મુખ્ય લેખક ઇનેસ ઓટોસાકા અને સહ-લેખક એન્ડ્રુ શેફર્ડે ચેતવણી આપી છે કે સમુદ્ર સપાટીમાં થયેલો આ વધારો દુનિયાના દરિયાકાંઠાના વિસ્તારો માટે મોટો ખતરો બની ગયો છે. તેનાથી વિશ્વભરના અબજો લોકો પૂરના જોખમમાં મુકાયા છે. આ નુકસાન પાછળનું મુખ્ય કારણ માત્ર વાતાવરણની ગરમી નથી, પરંતુ ૮૪ ટકા બરફ ગરમ દરિયાઈ પાણીના પ્રવાહને કારણે નીચેથી ધોવાઈને સમુદ્રમાં વહી રહ્યો છે. માત્ર ૧૬ ટકા બરફ જ સપાટી પરથી પીગળ્યો છે.

બરફ પહેલા કરતા 4 ગણો પીગળી રહ્યો છે

ગ્રીનલેન્ડ અને એન્ટાર્કટિકામાં ૧૯૮૦ના દકાડાની સરખામણીએ હાલમાં બરફ પીગળવાની ઝડપ ચાર ગણી વધી ગઈ છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ગ્લોબલ વોર્મિંગની ગતિ ભલે નિયંત્રિત થાય, પરંતુ આ વિશાળ હિમનદીઓનું પીગળવું આગામી કેટલાક દાયકાઓ સુધી ચાલુ રહેશે. દરિયાકાંઠાના નીચાણવાળા વિસ્તારો અને ટાપુઓને બચાવવા માટે વૈશ્વિક સ્તરે તાત્કાલિક અને નક્કર પગલાં લેવા ખૂબ જ જરૂરી બન્યા છે.

આ પણ વાંચોઃ NTAએ 2026-27 માટે પરીક્ષા કેલેન્ડર કર્યું જાહેર, JEE Main 2027 જાન્યુઆરીમાં અને CMAT ફેબ્રુઆરીમાં યોજાશે