ભારતમાં અમેરિકી રાજદૂત પદ માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નિમાયેલા સર્જિયો ગોરે ખુલાસો કર્યો છે કે અમેરિકાએ આવતા અઠવાડિયે વોશિંગ્ટન આવનારા એક ભારતીય પ્રતિનિધમંડળને આમંત્રણ આપ્યુ છે અને બંને પક્ષ એક સમજૂતાથી નજીક છે. તેમણે કહ્યુ કે, અમે ભારતીયો સાથે વાતચીત કરી રહ્યા છે. હકીકતમાં, રાષ્ટ્રપતિ તેમના વેપાર અને મંત્રીઓને આવતા અઠવાડિયે મળવા માટે હજુ પણ વાતચીત કરશે અને તે વોશિંગ્ટનમાં રાજદૂત ગ્રીર સાથે પણ મુલાકાત કરશે. આ મુલાકાતમાં એક આશાજનક સમજૂતી પણ સામેલ થશે. અમે હજુ કોઈ સમજૂતીથી દૂર નથી. તેઓ કરારની વિગતો પર વાટાઘાટો કરી રહ્યા છે.
ભારત સાથે વોશિંગ્ટનના સંબંધો ચીન કરતા વધુ મજબૂત હશે
ગોરે આગળ કહ્યું, રાષ્ટ્રપતિ ક્વાડ સાથે બેઠક ચાલુ રાખવા અને તેને મજબૂત બનાવવાના સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. ખરેખર, આગામી ક્વાડ બેઠક માટે તેમના પ્રવાસ વિશે પહેલેથી જ ચર્ચા થઈ ચૂકી છે. તેમણે યાદ અપાવ્યું કે કેવી રીતે વિદેશ મંત્રી માર્કો રુબિયોએ પદભાર ગ્રહણ કર્યા પછીના એક કલાકમાં જ ક્વાડના વિદેશ મંત્રીઓ સાથે મુલાકાત કરી હતી. ભારત-અમેરિકા સંબંધોમાં હાલની અડચણો છતાં, સર્ઝિયો ગોર માને છે કે ભારત સાથે વોશિંગ્ટનના સંબંધો ચીન સાથેના સંબંધો કરતા ઘણાં વધુ મધુર છે અને તેમને આશા છે કે ભારત અમારી તરફ આવશે અને ચીનથી દૂર રહેશે.













