નેપાળમાં આવેલી ભયાનક પૂરની હોનારત વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયે (MEA) મોટા પાયે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે. ત્રિશૂલી-૧ પ્રોજેક્ટમાં કાર્યરત ગુમ થયેલા ૭3 ભારતીય કર્મચારીઓમાંથી 63 નાગરિકોને સુરક્ષિત રીતે ઉગારી લેવાયા છે. આ સિવાય અગાઉ તમિલનાડુના 2૧ લોકોને પણ સલામત બહાર કઢાયા હતા. વિદેશ મંત્રાલય દ્વારા બચાવવામાં આવેલા નાગરિકોની યાદી જાહેર કરવામાં આવી છે અને સ્થિતિ પર સતત નજર રાખવા માટે એક વિશેષ કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે.
હજુ 290 ભારતીયો ગુમ
આ ભીષણ આપદામાં હજુ પણ 290 ભારતીય નાગરિકો સંપર્કવિહોણા છે, જેમને શોધવા માટે બચાવ અભિયાન સતત ચાલી રહ્યું છે. નેપાળી તંત્ર સાથે સંકલન કરીને ભારતીય મિશન આ વિસ્તારોમાં ફસાયેલા તમામ લોકોનો સંપર્ક કરવા માટે રાત-દિવસ કાર્યરત છે. ગુમ થયેલા નાગરિકોની ભાળ મેળવવા અને તેમના પરિવારજનોને મદદરૂપ થવા માટે ભારતીય વિદેશ મંત્રાલય સતત પ્રયત્નશીલ છે.

ભારતીય વાયુસેના દ્વારા રાહત સામગ્રીની પહોંચ