ઈરાન અને ઈઝરાયલ વચ્ચે શરૂ થયેલા યુદ્ધમાં મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો ફસાયેલા છે. ભારતે આ વિકટ પરિસ્થિતિમાં પણ ઈરાનથી વિદ્યાર્થીઓની પહેલી ખેપ સફળતાપૂર્વક પુરી કરી છે. ઈરાનથી 110 ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢવામાંમ આવ્યા છે જેમાં મોટા ભાગે કાશ્મીરના વિદ્યાર્થીઓ છે. આ સ્પેશ્યલ વિમાન આજે બુધવારે રાતે પહોંચવાની સંભાવના છે. આ વિદ્યાર્થીઓ આર્મેનિયાથી દોહા થઈને દિલ્હી પહોંચશે. 


ભારતે ઈરાનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને ભારત પરત લાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ અભિયાન અંતર્ગત ઉર્મિયા મેડિકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલા 110 ભારતીય વિદ્યાર્થીઓ, જેમાં 90 વિદ્યાર્થીઓ તો ફક્ત કાશ્મીરના જ છે. તેમને સુરક્ષિત રીતે ઈરાનથી બહાર કાઢીને આર્મેનિયા પહોંચાડવામાં આવ્યા છે. આ તમામ વિદ્યાર્થીઓ મંગળવારે ઈરાન-આર્મેનિયાની બોર્ડર પાર કરીને આર્મેનિયાની રાજધાની યેરેવન પહોંચ્યા છે. જ્યાં તેમને સરકાર દ્વારા નક્કી કરેલા હોટલમાં રાખવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને લઈને આ ફ્લાઈટ આજે એટલે કે બુધવારે રાત્રે 22-15 વાગ્યે દિલ્હી પહોંચશે.  

ભારત સરકાર ઉઠાવી રહી છે ખર્ચ

વિદ્યાર્થીઓ સાથે વાત કરવા પર તેમણે જણાવ્યું હતું કે તેઓ પુરી રીતે સુરક્ષિત છે અને તેમને ભારત પાછા બોલાવવાની પ્રક્રિયા શરુ કરી દેવાઈ છે. ભારત સરકારે વિદ્યાર્થીઓને સુરક્ષિત કાઢવાની પ્રક્રિયામાં લાગી ગઈ છે. જેનો તમામ ખર્ચ ભારત સરકાર ઉઠાવી રહી છે. ત્યાં સુધી કે આ મુસાફરી દરમિયાન દિલ્હીથી શ્રીનગર સુધીનો ખર્ચ પણ શામેલ છે. વિદેશ મંત્રાલય અને વિદેશી મંત્રી ડોક્ટર એસ. જયશંકરના કાર્યાલયથી મળેલી જાણકારી અનુસાર ભારત સરકાર તરફથી વિદ્યાર્થીઓ માટે ફ્રીમાં ટિકીટ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.  

  • Follow us on: