31 ડિસેમ્બર 2025ના રોજ ઈરાનના સર્વોચ્ચ નેતાએ અહમદ વહિદીને ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના ઉપ કમાન્ડર-ઇન-ચીફ તરીકે નિયુક્ત કર્યા હતા.


અહમદ વહિદી અગાઉ ઈરાનના ગૃહમંત્રી અને કુદ્સ ફોર્સના કમાન્ડર રહી ચૂક્યા છે

અહમદ વહિદી અગાઉ ઈરાનના ગૃહમંત્રી અને કુદ્સ ફોર્સના કમાન્ડર રહી ચૂક્યા છે. તેમની નિમણૂક એવા સમયે થઈ છે જ્યારે ઈરાની સેનામાં મોટા પાયે ફેરબદલ કરવામાં આવ્યો છે. અગાઉ 2025માં થયેલા હુમલાઓમાં IRGCના ઘણા વરિષ્ઠ કમાન્ડરો, જેમાં હુસૈન સલામી પણ સામેલ હતા, માર્યા ગયા હતા.

ખમેનેઇના મૃત્યુ બાદ ઈરાનમાં નેતૃત્વને લઈને ફેરફારોનો સમય

રિપોર્ટ અનુસાર ખમેનેઇના મૃત્યુ બાદ ઈરાનમાં નેતૃત્વને લઈને ફેરફારોનો સમય ચાલી રહ્યો છે અને દેશની ભવિષ્યની કમાન અંગે પરિસ્થિતિ પરિવર્તનના તબક્કામાં છે.

ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખમેનેઇના મૃત્યુની પુષ્ટિ 

ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખમેનેઇના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે. જણાવાયું છે કે અમેરિકા અને ઇઝરાયલની સંયુક્ત સૈન્ય કાર્યવાહી દરમિયાન તેહરાન સ્થિત તેમના કચેરી પર સચોટ હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા, જેમાં તેમનું મૃત્યુ થયું.

ઈરાનની કેટલીક સરકારી એજન્સીઓએ આ સમાચારનો ઇનકાર કર્યો હતો

શરૂઆતમાં ઈરાનની કેટલીક સરકારી એજન્સીઓએ આ સમાચારનો ઇનકાર કર્યો હતો, પરંતુ બાદમાં ઈરાનના સરકારી પ્રસારક IRIB અને અન્ય સરકારી મીડિયાએ તેમની “શહાદત”ની સત્તાવાર પુષ્ટિ કરી હતી.

ઈરાની સરકારે 40 દિવસના રાષ્ટ્રીય શોક અને સાત દિવસની જાહેર રજાની જાહેરાત કરી

ઈરાની સરકારે 40 દિવસના રાષ્ટ્રીય શોક અને સાત દિવસની જાહેર રજાની જાહેરાત કરી છે. બીજી તરફ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર તેમની મૃત્યુની જાહેરાત કરીને તેને ઈરાનની જનતા માટે “દેશ પાછું મેળવવાનો મોકો” ગણાવ્યો હતો. ઇઝરાયલના પ્રધાનમંત્રી બેનજામિન નેતન્યાહૂએ પણ સત્તાવાર પુષ્ટિ પહેલા તેમના મૃત્યુના સંકેતો મળ્યાની વાત કરી હતી.

આ પણ વાંચો: Iran Israel War : ઇતિહાસના સૌથી ક્રૂર માણસ આયાતુલ્લાહ અલી ખામેનેઈનું મૃત્યુ થયું : ડોનાલ્ડ ટ્રમ્પ

  • Follow us on: