ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈનું અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા બાદ પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ, કરાચી અને લાહોર શહેરમાં સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. સાથે જ પીઓકેમાં સ્થિત સ્કર્દુ શહેરમાં પણ હંગામો મચી ગયો છે. કરાચીમાં મોટી સંખ્યામાં લોકો અમેરિકી દુતાવાસની બહાર એકઠા થયા છે.
પાકિસ્તાનીઓએ અમેરિકાની વિરૂદ્ધ નારાબાજી કરી
શરૂઆતમાં વિરોધ શાંતિપૂર્ણ હતો પણ બપોર બાદ સ્થિતિએ હિંસક સ્વરૂપ લીધું છે. આ દરમિયાન 12 લોકોના મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. ત્યારે લાહોરમાં પણ મોટી સંખ્યામાં લોકો અમેરિકાની વિરૂદ્ધ નારાબાજી કરતા જોવા મળી રહ્યા છે.













