ઇરાની અધિકારીએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓ અને સશસ્ત્ર બળવાખોરોએ નિર્દોષ નાગરિકોની હત્યા કરી હતી. તેઓ આ મોત માટે જવાબદાર હતા.

વિદેશી સમર્થિત બળવાખોરો જવાબદાર

ઈરાનમાં થયેલા તાજેતરના વિરોધ પ્રદર્શનોમાં 500 સુરક્ષા કર્મચારીઓ સહિત પાંચ હજાર લોકોના મોતની પુષ્ટિ થઈ છે. સરકારે હિંસા માટે વિદેશી સમર્થિત બળવાખોરોને જવાબદાર ઠેરવ્યા છે. કુર્દિશ વિસ્તારોમાં સૌથી વધુ હિંસા જોવા મળી હતી. વિરોધ પ્રદર્શનોમાં મસ્જિદો, બેંકો અને શાળાઓને નોંધપાત્ર નુકસાન થયું હતું. આ પ્રદેશ અગાઉ અશાંતિ માટે જાણીતો છે. જ્યાં કુર્દિશ અલગતાવાદી જૂથો સક્રિય છે.

મૃત્યુઆંકમાં નોંધપાત્ર વધારો

ઈરાની અધિકારીએ કહ્યું કે, મૃત્યુઆંકમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા નથી. તેમણે આરોપ લગાવ્યો કે, રસ્તા પર ઉતરનારાઓને ઇઝરાયલ અને વિદેશમાં સશસ્ત્ર જૂથો તરફથી સમર્થન અને હથિયારો મળ્યા છે. ઈરાની સરકાર વારંવાર દેશમાં અશાંતિ માટે વિદેશી દળોને દોષી ઠેરવે છે. ઈરાન દાવો કરે છે કે, તેના કટ્ટર દુશ્મન ઈઝરાયલ આવી પ્રવૃત્તિઓ પાછળ છે. ગયા વર્ષે જૂનમાં ઈઝરાયલે ઈરાન પર લશ્કરી હુમલાઓ પણ કર્યા હતા.

વિવિધ ક્ષેત્રે મોટાપાયે નુકસાન

ઈરાનમાં 19 દિવસના વિરોધ પ્રદર્શન પછી, પરિસ્થિતિ હવે શાંત હોવાનું જાણવા મળ્યું છે. 19 દિવસના હિંસક વિરોધ પ્રદર્શનોને કારણે નોંધપાત્ર નુકસાન થયું છે. 30 પ્રાંતોમાં આશરે 250 મસ્જિદો અને 20 ધાર્મિક કેન્દ્રોને નુકસાન થયું હતું. 182 એમ્બ્યુલન્સ અને ફાયર વિભાગના સાધનો સહિત 5.3 મિલિયન ડોલરનું નુકસાન થયું. 317 બેંક શાખાઓ સંપૂર્ણપણે નાશ થઇ હતી. 4700 બેંકોને 10% થી 90% નુકસાન થયું હતુ. 1400 એટીએમને નુકસાન થયું હતુ.

આ પણ વાંચોઃ Pakistan News: શોપિંગ મોલમાં ભીષણ આગ, ત્રણના મોત, 12થી વધુ લોકો ઘાયલ