મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની વચ્ચે ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કાટ્જે મોટો ખુલાસો કર્યો છે અને કહ્યું કે ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનેઈને ખત્મ કરવાનો નિર્ણય ઈઝરાયેલે નવેમ્બર મહિનામાં જ લઈ લીધો હતો. તેમને કહ્યું કે આ કાર્યવાહીની યોજના લગભગ 6 મહિના બાદ લાગૂ કરવા માટે બનાવવામાં આવી હતી.


એક બેઠકમાં ખામેનેઈને ખત્મ કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું

એક ઈન્ટરવ્યુમાં સંરક્ષણ મંત્રીએ કહ્યું કે નવેમ્બરમાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની સાથે એક બેઠક થઈ હતી, જેમાં ખામેનેઈને ખત્મ કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું. તે સમયે આ ઓપરેશન માટે 2026ના મધ્યનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો હતો. કાટ્જ મુજબ ત્યારબાદ આ યોજનાની જાણકારી અમેરિકાને પણ આપવામાં આવી, ત્યારબાદ જાન્યુઆરીની આસપાસ તેને પહેલા લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. તેમને કહ્યું કે તે સમય ઈરાનમાં વિરોધ પ્રદર્શન વધી રહ્યા હતા અને ઈઝરાયેલને આશંકા હતી કે દબાણમાં આવીને ઈરાની શાસક ઈઝરાયેલ અને અમેરિકાના ઠેકાણાઓ પર હુમલો કરી શકે છે .

ઈરાનના ટોચના નેતાઓને નિશાન બનાવવામાં આવ્યા

અમેરિકા-ઈઝરાયેલ દ્વારા શરૂ કરેલા આ સંયુક્ત મિશનના શરૂઆતના કલાકોમાં જ ખામેનેઈની હત્યા કરવામાં આવી. આ પ્રથમ વખત છે કે જ્યારે કોઈ દેશના સર્વોચ્ચ નેતાની હત્યા સીધી હવાઈ હુમલામાં થઈ હોય. આ સંયુક્ત સૈન્ય મિશન હવે વધી ગયું છે. અભિયાનની શરૂઆતમાં જ ઈરાનના ટોચના નેતાઓને નિશાન બનાવવામાં આવ્યા, ત્યારબાદ સમગ્ર ક્ષેત્રમાં યુદ્ધ જેવી સ્થિતિ ઉભી થઈ ગઈ. ઈરાને તેના જવાબમાં ઈઝરાયેલ, ખાડી દેશો અને ઈરાકમાં હુમલા કર્યા, જ્યારે ઈઝરાયેલે ઈરાનના સહયોગી સંગઠન હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર લેબનાનમાં હુમલા કરી દીધા છે.

આ પણ વાંચો : Israel Iran War : ઈરાનને ટ્રમ્પની કડક ચેતવણી, આજે થઈ શકે છે મોટો હુમલો



  • Follow us on: