અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે આ વિકેન્ડ તે મિસ્ત્ર જઇ શકે છે. કારણ કે અમેરિકા, કતાર, મિસ્ત્ર અને ઇઝરાયલના વાર્તાકાર ગાઝા યુદ્ધ સમાપ્ત કરવા અને બંધકોની અદલા બદલી માટે સીઝફાયરની સમજૂતીને અંતિમ રૂપ આપવાની નજીક છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે તે આ વિકેન્ડ પર મિસ્ત્રની યાત્રા કરી શકે છે. કારણ કે અમેરિકા અને કતારના ઉચ્ચ અધિકારી બંધકોને બદલે સીઝફાયરની સમજૂતીને અંતિમ રૂપ આપવા માટે વાતચીતમાં સામેલ થઇ રહ્યા છે. તેમણે એમ પણ કહ્યુ કે ગાઝા યુદ્ધ સમાપ્ત કરવાની સમજૂતીથી ખૂબ જ નજીક છીએ.
ટ્રમ્પ શનિવારે જ મિસ્ત્ર માટે રવાના થઇ શકે
વ્હાઇટ હાઉસમાં બોલતા કહ્યુ કે,ટ્રમ્પે કહ્યું કે વાટાઘાટો કરનારે કહ્યુ છે કે સમજૂતી લગભગ પૂરી થવાની જ છે.તેમણે પત્રકારોને કહ્યુ કે, મને વિદેશ મંત્રીએ હમણાં જ એક નોટ આપી. જેમાં કહેવામાં આવ્યુ છે કે અમે મિડલ ઇસ્ટમાં એક સમજૂતીની ખૂબ જ નજીક છીએ અને તેમને જલ્દી જ મારી જરૂરત પડશે. રાષ્ટ્રપતિએ કહ્યુ કે તે શનિવારે જ મિસ્ત્ર માટે રવાના થઇ શકે છે. અથવા તો બંધકોની રિહાઇ પહેલા અથવા તેની તરત બાદ. તેમણે પોતાનુ ભાષણ સમાપ્ત કરતા પહેલા કહ્યુ કે મારે મિડલ ઇસ્ટમાં કેટલીક સમસ્યાને ઉકેલવા માટે જવુ પડે તેમ છે.
હમાસની સહમતિ
હમાસે ગાઝા સમજૂતી પર સહમતિ જતાવી છે. જેના પર ગુરૂવારે મિસ્ત્રમાં હસ્તાક્ષર કરવામાં આવશે. આ સમજૂતી પર ગાઝામાં માનવીય સહાયતા પહોંચાડવા માટે પાંચ ક્રોસિંગ તરત ખોલવા, ગાઝા વાપસી નક્શામાં બદલાવ અને પહેલાં ચરણમાં 20 ઇઝરાયલી બંધકોને જીવતા છોડવાનો સમાવેશ છે. આ સમજૂતીની ગેરંટી અમેરિકા, મિસ્ત્ર, કતાર અને તુર્કીએ આપી છે. જેનાથી આ સુનિશ્ચિત થાય છે કે જ્યાં સુધી બંને પક્ષ આની શરતોનુ પાલન કરે છે ત્યાં સુધી હુમલાઓ ફરીથી શરૂ નહીં થાય.