બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે વિદેશમાં આવેલા દૂતાવાસોને રાષ્ટ્રપતિ મોહમ્મદ શાહબુદ્દીનના ફોટા તુરંત હટાવવા માટે આદેશ આપ્યા છે. આદેશ મળતા જ દૂતાવાસોએ તમામ ફોટા દૂર કર્યા હતા. આ પ્રકારના આદેશ અને સમગ્ર રાજકીય પ્રક્રિયાને જોતા રાષ્ટ્રપતિ સત્તા પરિવર્તન મામલે અટકળો તેજ થઇ છે.


રાજકીય હલચલ તેજ

બાંગ્લાદેશ વર્ષ 2024થી ચર્ચાનો વિષય રહ્યુ છે. શેખ હસીનાએ સત્તા છોડ્યા બાદ અને દેશમાંથી પલાયણ થયા બાદ મોહમ્મહ યુનુસ બાંગ્લાદેશના વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર બન્યા છે. તેઓેએ આગામી વર્ષે એટલે કે વર્ષ 2026માં ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજવા માટે જાહેરાત કરી છે. પરંતુ ચૂંટણી પહેલા અહીં મોટી હલચલ જોવા મળી રહી છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે આદેશ આપ્યો હતો અને તેમના આદેશનું પાલન કરીને દૂતાવાસમાંથી રાષ્ટ્રપતિની તસ્વીરો દૂર કરવામાં આવી હતી. યૂરોપ, મધ્યપૂર્વ અને દક્ષિણ એશિયાનાવ પાંચ દૂતાવાસોએ કહ્યુ છે કે, દૂતાવાસમાંથી તમામ ફોટો દૂર કરવામાં આવ્યા હતા.

સરકાર ઇચ્છે ત્યારે નિર્ણય બદલી શકે

કોલંબો દૂતાવાસના અધિકારીએ જણાવ્યુ હતુ કે, તેમના સ્થાને અગાઉ જ શાહાબુદ્દીન, હસીના અને મુઝીબની તસ્વીરો હટાવવામાં આવી છે. બાદમાં મંત્રાલયમાંથી ફોન આવ્યો હતો કે, રાષ્ટ્રપતિની તસ્વીર પણ હટાવવાની છે. તેહરાન દૂતાવાસમાં રાષ્ટ્રપતિ અને સલાહકાર પ્રોફેસર યુનુસની ફોટો લગાવવામાં આવ્યા હતા. રાજનૈતિક નિષ્ણાતોએ જણાવ્યુ હતુ કે કોની ફોટો લગાવવી અને હટાવવી એ મામલે કેબિનેટ આદેશ આપે છે. સરકાર ઇચ્છે ત્યારે પોતાના નિર્ણય બદલી શકે છે. 

  • Follow us on: