ગાઝા અને વેસ્ટ બેન્કની પરિસ્થિતિને લઈને તણાવ સતત વધી રહ્યો છે. ગયા અઠવાડિયે રિયાધમાં સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને યુએઈના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદની બેઠકમાં આ મુદ્દે ગંભીર ચર્ચા થઇ હતી.

પેલેસ્ટાઇનની નવીનતમ પરિસ્થિતિ

સાઉદી પ્રેસ એજન્સીએ પુષ્ટિ આપી હતી કે, બંને નેતાઓએ 'પેલેસ્ટાઇનની નવીનતમ પરિસ્થિતિ' સહિત ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. બંને નેતાઓ સંમત થયા હતા કે જો ઇઝરાયલ પશ્ચિમ કાંઠા પર પોતાનો કબજો વધારશે, તો અબ્રાહમ કરારમાંથી ખસી જવું 'વાસ્તવિકતા' બની શકે છે. યુએઈએ 2020માં ઇઝરાયલ સાથેના સંબંધો સામાન્ય કરવા માટે સંમતિ આપી હતી. તે સમયે, શરત એ હતી કે ઇઝરાયલ પશ્ચિમ કાંઠાના ભાગો પર પોતાનો કબજો વધારવાની યોજના બંધ કરશે.

નેતન્યાહૂ થયા ચિંતિત

ચેતવણીઓએ પીએમ બેન્જામિન નેતન્યાહૂને એટલા ચિંતિત કર્યા છે કે, તેઓ કેબિનેટની બેઠકમાંથી પશ્ચિમ કાંઠાના જોડાણનો મુદ્દો દૂર કરવામાં આવ્યો. છેલ્લા કેટલાક અઠવાડિયાથી, ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂ પશ્ચિમ કાંઠાના મોટા ભાગ અથવા આખા ભાગને ઔપચારિક રીતે જોડવાની યોજના પર વિચાર કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાતો આ પ્રયાસ આરબ વિશ્વમાં ગુસ્સો ભડકી શકે છે અને તત્કાલીન યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની શાંતિ પહેલને પણ નબળી પાડી શકે છે.

ઇઝરાયલી ટિપ્પણીઓની નિંદા

સાઉદી અરેબિયાએ ગાઝામાં પેલેસ્ટિનિયનોના વિસ્થાપન પર ઇઝરાયલી ટિપ્પણીઓની નિંદા કરતા સત્તાવાર નિવેદન બહાર પાડ્યું અને ઇઝરાયલ પર નરસંહારનો આરોપ લગાવ્યો હતો. જોકે નિવેદનમાં પશ્ચિમ કાંઠાનો સીધો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. પરંતુ સાઉદીનું વલણ પહેલા કરતાં વધુ કડક દેખાતું હતું. 

  • Follow us on: