થાઇલેન્ડ પીએમ પૈટોન્ગતાર્ન શિનવાત્રાએ પોતાની પીએમની ખુરશી ગુમાવી છે. અને થાઇલેન્ડ કોર્ટે તેમને સસ્પેન્ડ કર્યા છે. શિનવાત્રાને કંબોડિયા સાથેના તેમના વિવાદમાં અયોગ્ય વર્તન માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શિનવાત્રાએ કંબોડિયાના પૂર્વ પીએમ હુન સેનને 'અંકલ' કહીને સંબોધ્યા હતા. આ વાતચીત તેમની ફોન કોલમાં થઇ હતી. અને આ કોલ લીક થયો હતો. ટેલિફોનિક વાતચીતમાં શિનવાત્રાએ થાઇલેન્ડની જનતા અને સેનાનું અપમાન કર્યુ હતુ.


'અંકલ' શબ્દ બન્યો વિવાદનું કારણ

15 જૂન 2025ના રોજ શિનવાત્રા અને હુન સેન વચ્ચે ટેલિફોનિક વાતચીત થઇ હતી. જેનો એક ભાગ વાયરલ થયો હતો. આ વાતચીતમાં શિનવાત્રાએ કંબોડિયાના પૂર્વ પીએમ હુન સેનને 'અંકલ' કહીને સંબોધ્યા હતા. અને પોતાને તેમની 'ભત્રીજી'ના રૂપમાં દર્શાવી હતી. આ વાતચીત શિનવાત્રા અને હુન સેનાના પારિવારિક સંબંધો અને જૂની મિત્રતાને દર્શાવે છે. 17 મિનિટની વાતચીતમાં 9 મિનિટની વાતચીત લીક થઇ છે.

સેના અને જનાતનું અપમાન

થાઇલેન્ડ પીએમ પૈટોન્ગતાર્ન શિનવાત્રાના પિતા અને થાઇલેન્ડના પૂર્વ રાષ્ટ્રપતિ થાકસિન શિનવાત્રા કમ્બોડિયા નેતાના મિત્ર હતા. આ મિત્રતા ઘણા વર્ષો સુધી રહી હતી. આ બન્ને નેતાઓ વચ્ચે વ્યક્તિગત અને રાજનૈતિક સ્તર પર સારા સંબંધો હતીા. બસ આ જ કારણના લીધે શિનવાત્રાએ હુન સેનને અંકલ કહ્યા હતી. ફોન કોલ દરમિયાન શિનવાત્રાએ જણાવ્યુ હતુ કે, સરહદ પર તૈનાત જનરલ તેમના દુશ્મન છે. સેના અને જનાતનું અપમાન કરવા બદ્દલ શિનવાત્રાને પીએમ પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. 

  • Follow us on: