થાઇલેન્ડ કોર્ટે પીએમ શિનવાત્રાના આચરણને અયોગ્ય ઠેરવ્યુ છે. અને તેમના પર કાર્યવાહી કરતા સસ્પેંડ કરાયા છે. કોર્ટે જણાવ્યુ છે કે, જે રીતે પીએમે શિનવાત્રાએ પોતાના જ દેશની જનતા વિરુદ્ધ ટિપ્પણી કરી છે. તે અયોગ્ય છે. શિનવાત્રા માટે આગામી 15 દિવસ સરળ નહી હોય. કોર્ટે તપાસ એજન્સીઓેને જણાવ્યુ છે કે, રિપોર્ટ આવ્યા બાદ તેઓ આગામી કાર્યવાહી કરશે. તો આ તરફ મીડિયાએ જણાવ્યુ હતુ કે, શિનવાત્રાના પિતા પણ દેશના પ્રમુખ હતા. તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી હાથ ધરાશે.


જનતા વિરુદ્ધની ટિપ્પણી પડી ભારે

થાઇલેન્ડની કોર્ટે પૈતોંગટાર્ન શિનવાત્રાને પીએમ પદ પરથી દૂર કર્યા છે. તેઓએ જનતા વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. તેમના પર હવે કાર્યવાહી કરવામાં આવશે. શિનવાત્રાના પિતા પર પણ આરોપ લગાવવામાં આવ્યો છે. તેઓએ રાજાશાહી ચલાવીને લોકો પર હુકુમત કરી છે. આ કેસ વર્ષ 2016માં નોંધવામાં આવ્યો છે.

ફોન કોલમાં શું હતુ ?

થાઇલેન્ડના પીએમે દુશ્મન દેશ કંબોડિયાના સેનેટ પ્રમુખ હુન સેનને કોલ કર્યો હતો. આ ફોન કોલમાં શિનવાત્રાએ કંબોડિયાના સેનેટે પ્રમુખને 'અંકલ' કહીને સંબોધ્યા હતા. આ વાતચીતમાં શિનવાત્રાએ જણાવ્યુ હતુ કે, જનરલ હમણા સરહદ પર તૈનાત છે. એ મારા દુશ્મન છે. જેના કારણે કંબોડિયા સાથે વિવાદ ચાલી રહ્યો છે. થાઇલેન્ડ અને કંબોડિયા સાથે હાલમાં જ સરહદ વિવાદ ઘેરાયો છે. આ ફોન કોલ લીક થયા બાદ ઠંડી પડેલી થાઇલેન્ડ રાજનીતિમાં ભૂકંપ સર્જાયો છે. શિનવાત્રાએ આ મામલે માફી માંગી હતી. પરંતુ ત્યાં સુધી સમગ્ર વિવાદ કોર્ટ પહોંચ્યો હતો. અને હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


  • Follow us on: