રશિયાએ કીવ પર ડ્રોન અને મિસાઇલ દ્વારા હુમલાઓ કર્યા છે. જેમાં 12ના મોત અને 48 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં 3 બાળકોનો પણ સમાવેશ થાય છે. આ હુમલાઓમાં 100થી વધુ ઇમારતો ક્ષતિગ્રસ્ત થાય છે. રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધવિરામ કરાવવા માટે અમેરિકાએ કરેલા પ્રયાસો નિષ્ફળ થતા જોવા મળી રહ્યા છે.


રશિયાએ ફરી કર્યો હુમલો

યુક્રેનની એયરફોર્સે જણાવ્યુ હતુ કે, રશિયાએ આ વખતે 598 ડ્રોન અને ડિકોયની સાથે 31 પ્રકારની વિવિધ મિસાઇલોથી હુમલો કર્યો છે. જેમાં 563 ડ્રોન અને 26 મિસાઇલ ફેંકવામાં આવી છે. આ હુમલાઓ રહેણાંક વિસ્તારોમાં કરવામાં આવ્યા છે. લગભગ 100 ઇમારતોને પણ નુકસાન થયુ છે. હુમલાઓ બાદ કીવના રસ્તાઓ પર કાટમાળ જોવા મળ્યો હતો. દાર્નીસ્કી જિલ્લામાં એક પાંચની ઇમારત ધરાશાયી થઇ હતી. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન કાટમાળ નીચેથી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા.

યુદ્ધ ક્યારે થશે શાંત ?

યૂક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ જણાવ્યુ હતુ કે, રશિયા વાતચીત કરવાના સ્થાને મિસાઇલ હુમલાઓ કરી રહ્યુ છે. દુનિયા હવે સ્પષ્ટ વલણ અપનાવે તે જરુરી બન્યુ છે. અને સત્યની સાથે આવવું જોઇએ. તો રશિયાએ કહ્યુ છે કે, યૂક્રેને 102 રશિયાના ડ્રોન તોડી પાડ્યા છે. રશિયાના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે યૂક્રેને હુમલાઓ દ્વારા ક્રાસ્ત્રોદાર અને સમારા ક્ષેત્રોમાં આવેલી તેલની રિફાઇનરીઓમાં આગ લગાવી છે. આ હુમલાઓ બાદ રેલવે ટ્રેક પણ પ્રભાવિત થયો હતો. 

  • Follow us on: