મૃતકો છ અન્ય લોકો સાથે કારમાં મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે કાર ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને છ અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા.

અકસ્માતથી ચકચાર

સ્કેન્ઝાનો જોનિકો વિસ્તારમાં આ અકસ્માત થયો હતો જ્યારે 10 લોકોને લઈ જતી સાત સીટર કાર ટ્રક સાથે અથડાઈ હતી. પીડિતો છ અન્ય લોકો સાથે સાત સીટર રેનો સિનિક કારમાં મુસાફરી કરી રહ્યા હોવાનું કહેવાય છે. એગ્રી ખીણના શહેર માટેરાની સ્કેન્ઝાનો જોનિકો મ્યુનિસિપાલિટીમાં શનિવારે તેમની કાર ટ્રક સાથે અથડાઈ હતી. ચાર ભારતીય નાગરિકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ભારતીય દૂતાવાસે કરી જાહેરાત

મૃતકોની ઓળખ મનોજ કુમાર, સુરજીત સિંહ, હરવિંદર સિંહ અને જસકરણ સિંહ તરીકે કરવામાં આવી છે. ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં લખ્યું હતું કે, દક્ષિણ ઇટાલીના માટેરામાં થયેલા માર્ગ અકસ્માતમાં ચાર ભારતીય નાગરિકોના દુ:ખદ મૃત્યુ પર ભારતીય દૂતાવાસે ખૂબ શોક વ્યક્ત કર્યો છે. દૂતાવાસે વધુમાં જણાવ્યું હતું કે, અમે વિગતો મેળવવા માટે સ્થાનિક ઇટાલિયન અધિકારીઓના સંપર્કમાં છીએ. દૂતાવાસે સંડોવાયેલા પરિવારોને તમામ શક્ય કોન્સ્યુલર સહાય પૂરી પાડશે.

માર્ગ અકસ્માતમાં દંપત્તિનું મોત

ઇટાલીમાં એક માર્ગ અકસ્માતમાં નાગપુરના એક ઉદ્યોગપતિ અને તેની પત્નીનું મૃત્યુ થયું હતું. તેમના બાળકોને ઘાયલ કરીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મૃતકોની ઓળખ જાવેદ અખ્તર તરીકે થઈ હતી, જે નાગપુરના જાણીતા હોટેલિયર હતા અને તેમની પત્ની, નાદિરા ગુલશન હતા. આ અકસ્માતમાં તેમની પુત્રી આરઝૂ અખ્તર, બીજી પુત્રી શિફા અને પુત્ર જાજેલ પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માત ઇટાલીના ગ્રોસેટો નજીક ઓરેલિયા હાઇવે પર થયો હતો. 

  • Follow us on: