નાયબ વડા પ્રધાન ઇશાક ડારે કહ્યું કે, પાકિસ્તાન તે ચાની કિંમત ચૂકવી રહ્યું છે. છેલ્લા ચાર વર્ષમાં ટીટીપી હુમલાઓમાં 1920 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા.

એક ફોટોએ જગાવી ચર્ચા

ઓગસ્ટ 2021માં જ્યારે તાલિબાને અફઘાનિસ્તાનમાં સત્તા કબજે કરી. ત્યારે એક ફોટો વ્યાપકપણે ચર્ચામાં આવ્યો. આ ફોટામાં, પાકિસ્તાનના ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ ચીફ, લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદ, કાબુલની એક હોટલમાં પાકિસ્તાની સેનાના અધિકારીઓ સાથે ચા પીતા જોવા મળ્યા. તાજેતરમાં, પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન ઇશાક ડારે સંસદમાં કહ્યું કે પાકિસ્તાન તે ચાની કિંમત ચૂકવી રહ્યું છે.

મોટી સંખ્યામાં સૈનિકોના મોત

ડારે કહ્યું કે એક કપ ચાએ અફઘાન-પાકિસ્તાન સરહદ ફરીથી ખોલી. તત્કાલીન સરકારે 100 થી વધુ કુખ્યાત ગુનેગારોને મુક્ત કર્યા જેમણે પાકિસ્તાની ધ્વજ સળગાવ્યા અને અસંખ્ય લોકોને માર્યા. 35 હજારથી 40 હજાર તાલિબાન પાકિસ્તાન પાછા ફર્યા. ડારે દેશમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના હુમલાઓ માટે ઇમરાન ખાન સરકારના નિર્ણયોને જવાબદાર ઠેરવ્યા. નાયબ વડા પ્રધાને તેને પાકિસ્તાન માટે પાઠ ગણાવ્યો.

પાકિસ્તાનમાં વારંવાર હુમલાઓ

TTPએ છેલ્લા ચાર વર્ષોમાં પાકિસ્તાનમાં વારંવાર હુમલાઓ કર્યા છે. 2022માં, 279 સૈનિકો માર્યા ગયા, જે 2023માં વધીને 754 થયા. 2024માં 527 સૈનિકો માર્યા ગયા અને 2025માં અત્યાર સુધીમાં 260 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે. આ ચાર વર્ષોમાં કુલ 1920 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે. ડારની ટિપ્પણી એવા સમયે આવી છે. જ્યારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ ચાલી રહ્યો છે. બંને પક્ષો 19 ઓક્ટોબરે યુદ્ધવિરામ માટે સંમત થયા હતા. યુદ્ધવિરામ તુર્કી અને કતાર દ્વારા મધ્યસ્થી કરવામાં આવ્યો હતો. 

  • Follow us on: