અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કરી છે. આ વાતચીત ભારત અને અમેરિકાની વચ્ચે સતત ચાલી રહેલા ઉચ્ચસ્તરીય સંપર્કનો ભાગ માનવામાં આવી રહી છે. આ જાણકારી સર્જિયો ગોરે આપી છે. સર્જિયો ગોર ભારતમાં અમેરિકી રાજદૂત અને દક્ષિણ અને મધ્ય એશિયાના વિશેષ દૂત છે. 



છેલ્લે ક્યારે બંને નેતાઓ વચ્ચે થઈ હતી વાતચીત?

જણાવી દઈએ કે સર્જિયો ગોરે જાણકારી આપ્યા પહેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારતના પ્રસિદ્ધ સ્મારક ઈન્ડિયા ગેટની તસ્વીર પોસ્ટ કરતા વખાણ કર્યા. સાથે જ ટ્રમ્પે લખ્યું કે 'ભારતનો સુંદર વિજય દ્વાર. આ બધામાં અમારો વિજય સૌથી મહાન હશે'. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચે આ પહેલા 10 ડિસેમ્બર 2025એ ફોન પર વાતચીત થઈ હતી. આ દરમિયાન ટેરિફને લઈને ચર્ચા કરવામાં આવી હતી. ટેરિફને લઈને બંને નેતાઓની વચ્ચે ત્રીજી વખત ફોન પર ચર્ચા હતી.  

ટ્રાયમ્ફલ આર્ચ બનાવવાની ચર્ચા

ટ્રમ્પે 1 ફેબ્રુઆરીએ પત્રકારો સાથે વાતચીત કરી હતી, તે દરમિયાન જણાવ્યું કે છેલ્લા લગભગ 200 વર્ષથી વોશિંગ્ટનમાં એક ટ્રાયમ્ફલ આર્ચ બનાવવાની ચર્ચા થઈ રહી છે પણ અત્યાર સુધી એવું કોઈ સ્મારક બની શક્યું નથી. તેમને કહ્યું કે દુનિયાના લગભગ 57 શહેરમાં ટ્રાયમ્ફલ આર્ચ છે પણ વોશિંગ્ટન ડીસી આજે પણ એકમાત્ર એવું મોટું શહેર છે, જ્યાં આ સ્મારક નથી. ટ્રમ્પના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટ પર કામ જલદી જ શરૂ કરવામાં આવી શકે છે.

આ પ્રસ્તાવિત વિજય દ્વારને અનૌપચારિક રીતે આર્ક ડી ટ્રમ્પ કહેવામાં આવી રહ્યું છે. ટ્રમ્પે આ યોજનાનો ઉલ્લેખ પ્રથમવાર ઓક્ટોબર 2025માં કર્યો હતો. તેમને તેને અમેરિકીની 250મી વર્ષગાંઠના અવસરે બનાવવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. જે આગામી વર્ષે મનાવવામાં આવશે.

આ પણ વાંચો : Air Indiaના બોઈંગ વિમાનમાં ફ્યૂલ કંટ્રોલ સ્વિચમાં સર્જાઈ ખામી, લંડનથી બેંગલુરૂ આવી રહ્યું હતું વિમાન

  • Follow us on: