પાકિસ્તાનના પ્રતિનિધિ અસીમ ઇફ્તિખાર અહેમદે ઇઝરાયલ પર 'ગેરકાયદેસર અને આક્રમક કાર્યવાહી'નો આરોપ લગાવ્યો અને કહ્યું કે આ તેના 'હંમેશા આક્રમક વલણ'નો ભાગ છે. તેમણે ઇઝરાયલ પર આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ કરવાનો, ગાઝામાં હુમલા કરવાનો અને સીરિયા, લેબનોન, ઈરાન અને યમનમાં હુમલા કરવાનો આરોપ લગાવ્યો હતો.

ઓસામા બિન લાદેનની યાદ કેમ અપાવાઇ ?

ઇઝરાયલના પ્રતિનિધિ ડેની ડેનને પાકિસ્તાનને જવાબ આપ્યો હતો કે, મારો ઉદ્દેશ્ય તમને દુઃખ પહોંચાડવાનો નથી, પરંતુ હકીકતો જણાવવાનો છે. ભૂલશો નહીં કે અલ-કાયદાના વડા ઓસામા બિન લાદેન પાકિસ્તાનની ધરતી પર છુપાયેલો હતો અને ત્યાં જ માર્યો ગયો હતો. પ્રશ્ન એ નહોતો કે અમેરિકાએ વિદેશી ધરતી પર હુમલો કેમ કર્યો?. પાકિસ્તાન ઇતિહાસ બદલી શકતું નથી. '9/11 પાકિસ્તાનમાં બન્યું ન હતું, પરંતુ ઓસામા ત્યાં છુપાયેલો જોવા મળ્યો હતો.

ઇઝરાયલ સાથે નવી મુશ્કેલી

જોકે, આ રીતે પાકિસ્તાને ઇઝરાયલ સાથે નવી મુશ્કેલી શરૂ કરી છે. હાલમાં ઇઝરાયલનું ધ્યાન કતાર, ઈરાન અને લેબનોન જેવા દેશો પર છે, પરંતુ યુએન ચર્ચામાં પાકિસ્તાનનું નામ ખેંચાવાથી રાજદ્વારી દબાણ ચોક્કસપણે વધ્યું છે. પ્રશ્ન એ છે કે શું એવો દિવસ ક્યારેય આવશે જ્યારે ઇઝરાયલ પાકિસ્તાનને સીધો નિશાન બનાવશે? અત્યારે તેની શક્યતા ઓછી છે, પરંતુ કોઈએ ક્યારેય ઇઝરાયલના કતાર પર હુમલા વિશે વિચાર્યું ન હતું. 

  • Follow us on: