પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાનની મુસીબતોનો અંત આવતો જણાતો નથી. ઈસ્લામાબાદ પોલીસે નેશનલ એસેમ્બલી સત્ર બાદ સંસદ ભવન બહાર પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના વરિષ્ઠ નેતાઓની ધરપકડ કરી છે.
પાકિસ્તાનના જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટીના ટોચના નેતાઓની પોલીસે સોમવારે નેશનલ એસેમ્બલી સત્ર બાદ સંસદ ભવન બહારથી ધરપકડ કરી હતી. મીડિયા રિપોર્ટ્સમાં આ જાણકારી આપવામાં આવી છે. 'ડોન' અખબારે પોલીસ પ્રવક્તા જાવેદ તકીને ટાંકીને કહ્યું કે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પાર્ટીના નેતાઓ બેરિસ્ટર ગૌહર અલી ખાન, શેર અફઝલ ખાન મારવત અને એડવોકેટ શોએબ શાહીનની ઈસ્લામાબાદ પોલીસે ધરપકડ કરી છે.
'લોકશાહી પર સીધો પ્રહાર'
શેર અફઝલ ખાન મારવતની ધરપકડ અંગે, પીટીઆઈ પાર્ટીએ 'X' પર એક પોસ્ટમાં કહ્યું, "પીએમએલએન સરકારને નેશનલ એસેમ્બલીના વર્તમાન સભ્ય વિરુદ્ધ આવા પગલાથી સંપૂર્ણપણે શરમ આવવી જોઈએ. આ લોકશાહી પર સીધો હુમલો છે.'' પાર્ટીએ ઇસ્લામાબાદ પોલીસ પર ''ગેરકાયદેસર આદેશો''નું પાલન કરવાનો આરોપ મૂક્યો અને ઇસ્લામાબાદ પોલીસ મહાનિરીક્ષક (IG)ને ''આ કાર્યવાહી બંધ'' કરવા હાકલ કરી.
પાક.સરકારે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તે ઈમરાન ખાન અને તેના સાથીદારોથી કેટલી ડરેલી છે," મારવતે X પર પોસ્ટ કરેલા નિવેદનમાં જણાવ્યું હતું. વિપક્ષી નેતા ઓમર અયુબ ખાને ધરપકડની નિંદા કરી અને આરોપ લગાવ્યો કે ઈસ્લામાબાદ પોલીસે તેમની ધરપકડ કરવા માટે ટીમો બનાવી છે, પીટીઆઈ નેતા ઝરતાજ ગુલ વઝીર અને "અન્ય સાથીદારો".
પોલીસ કર્મચારીઓ સાથે ઘર્ષણનો આરોપ
સૂત્રોએ જિયો ન્યૂઝને જણાવ્યું કે મારવતને નવા કાયદા - શાંતિપૂર્ણ એસેમ્બલી એન્ડ પબ્લિક ઓર્ડર બિલ, 2024 હેઠળ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે પીટીઆઈ સાંસદ પર એક દિવસ પહેલા પોલીસ કર્મચારીઓ સાથે ઘર્ષણનો આરોપ છે. અન્ય પોસ્ટમાં, પીટીઆઈ પાર્ટીએ પાર્ટી અધ્યક્ષ બેરિસ્ટર ગૌહરની ધરપકડને "ગેરકાયદેસર" ગણાવીને વખોડી કાઢી.
હજુ ઘણા નેતાઓની ધરપકડ થઈ શકે છે
ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઈમરાન ખાન, 71, ઘણા કાનૂની કેસોનો સામનો કરી રહ્યા છે અને ભ્રષ્ટાચારના કેસમાં સજા ફટકાર્યા પછી લગભગ એક વર્ષથી જેલમાં છે. સૂત્રોએ જણાવ્યું કે ઓમર અને જરતાજની સાથે હમ્માદ અઝહર, કંવલ શૌઝબ, નઈમ હૈદર પંજુથા, અમીર મુગલ અને ખાલિદ ખુર્શીદ સહિતના અન્ય પીટીઆઈ નેતાઓની પણ ધરપકડ કરવામાં આવે તેવી શક્યતા છે.