ઈરાનના રાજદૂતને બોલાવીને યુક્રેને ચેતવણી આપી છે કે જો રશિયાને મિસાઈલ નિકાસના અહેવાલ સાચા સાબિત થશે તો ઈરાનને તેના ખરાબ પરિણામો ભોગવવા પડશે. જોકે, ઈરાને રશિયાને મિસાઈલ નિકાસના સમાચારને નકારી કાઢ્યા છે.


યુક્રેનના વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે તેણે ઈરાનના રાજદૂતને બોલાવીને ચેતવણી આપી છે કે જો રશિયાને બેલેસ્ટિક મિસાઈલો આપવાનો અહેવાલ સાચો સાબિત થશે તો ઈરાનને દ્વિપક્ષીય સંબંધો માટે ગંભીર પરિણામો ભોગવવા પડશે. જોકે, સોમવારે ઈરાનના એક વરિષ્ઠ અધિકારીએ આ અહેવાલને નકારી કાઢ્યો હતો અને તેને 'મનોવૈજ્ઞાનિક યુદ્ધ' ગણાવ્યો હતો. યુરોપિયન યુનિયનના પ્રવક્તાએ આ અહેવાલોને વિશ્વસનીય ગણાવ્યા છે.

ઈરાને રશિયાને ટૂંકા અંતરની બેલિસ્ટિક મિસાઈલોની સપ્લાઈ કરી છે. યુક્રેનના વિદેશ મંત્રાલયે ટેલિગ્રામ પર જણાવ્યું હતું કે તેણે ઈરાનના ચાર્જ ડી અફેર્સ શહરયાર અમોઝેગરને બોલાવ્યા હતા અને જો મિસાઈલ ડિલિવરીના સમાચાર સાચા નીકળે તો પરિણામની ચેતવણી આપી હતી.

આ પહેલા ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સના વરિષ્ઠ કમાન્ડર ફઝલોલ્લાહ નોઝારીએ ઈરાની લેબર ન્યૂઝ એજન્સીને કહ્યું હતું કે રશિયાને કોઈ મિસાઈલ મોકલવામાં આવી નથી અને આ દાવો એક પ્રકારનું મનોવૈજ્ઞાનિક યુદ્ધ છે. નોઝારીએ એમ પણ કહ્યું કે, “ઈરાન યુક્રેન-રશિયા સંઘર્ષમાં કોઈપણ પક્ષને સમર્થન નથી આપી રહ્યું.

મિસાઇલ સપ્લાય રિપોર્ટ વિશ્વસનીય!

પશ્ચિમી અને યુક્રેનિયન અધિકારીઓએ ઈરાનના દાવાઓને ફગાવી દીધા છે કે તે યુક્રેન-રશિયા સંઘર્ષમાં બંને પક્ષોને સમર્થન આપી રહ્યું નથી. યુરોપિયન યુનિયનના વિદેશ બાબતોના પ્રવક્તા પીટર સ્ટેનોએ જણાવ્યું હતું કે, "અમે રશિયાને ઈરાની બેલિસ્ટિક મિસાઈલોની ડિલિવરી અંગે અમારા સહયોગીઓ દ્વારા પ્રદાન કરવામાં આવેલી વિશ્વસનીય માહિતીથી વાકેફ છીએ." તેમણે કહ્યું કે જો પુષ્ટિ થાય તો તે સાબિતી હશે કે યુક્રેન પર રશિયન હુમલામાં ઈરાનનો પણ હાથ હતો.

  • Follow us on: