સાઉદી અરેબિયાએ 73 વર્ષ પછી એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. જેમા કારણે ચારેય બાજુ તેની ચર્ચા થઇ રહી છે. સાઉદી અરેબિયાએ દારૂ પરનો પ્રતિબંધ હટાવ્યો છે. જ્યાં એક તરફ ઇસ્લામમાં દારુનું સેવન કરવું પાપ છે. ત્યાં બીજી તરફ સાઉદી અરેબિયાએ 1952થી લાગુ દારૂ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. 73 વર્ષ પછી લેવામાં આવેલા આ નિર્ણય પાછળ શું છે કારણ તેના પર નજર કરીએ. અને જાણીએ કે કેમ ઇસ્લામિક દેશોમાં આર્થિક સ્થિતિ વધારવા શું પગલા લઇ શકાય છે. ?


સાઉદીમાં ખુશીનો માહોલ

સરકારે વર્ષ 2026થી દારૂના વેચાણને મંજૂરી આપી છે. આ મંજૂરી અનેક ઉત્સાહની સાથે અનેક પ્રશ્નો પણ ઉભા કરે છે. કયા કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેના ફાયદા અને નુકસાન શું હોઇ શકે છે. તેનાથી કેટલી આવક અને ખર્ચ વધશે. આ તમામ પાસા જાણવા જરુરી છે. તે નાણાકીય સ્થિરતાને મજબૂત બનાવવામાં મદદ કરે છે. 2008ની વૈશ્વિક નાણાકીય કટોકટીએ વિશ્વભરની નાણાકીય વ્યવસ્થાને મોટું નુકસાન પહોંચાડ્યુ હતુ.

ઇસ્લામિક દેશોમાં દારૂ પરનો પ્રતિબંધ હટાવવો અનેક કારણોસર મહત્વપૂર્ણ છે. કેટલાક મુખ્ય કારણો પર નજર કરીએ તો, તે આ મુજબ છે.

1. આર્થિક લાભો

વાઇનનું ઉત્પાદન અને વેચાણ એક મહત્વપૂર્ણ આર્થિક પ્રવૃત્તિ બની શકે છે. જે સરકારને કરવેરા આવક પૂરી પાડે છે અને પર્યટનને પ્રોત્સાહન આપે છે. જે રોજગારની તકોનું પણ સર્જન કરી શકે છે.

2. સામાજિક સહિષ્ણુતા

કેટલાક ઇસ્લામિક દેશોમાં, દારૂ પર પ્રતિબંધને સામાજિક સહિષ્ણુતા માટે પડકાર તરીકે જોવામાં આવે છે. જે બિન-મુસ્લિમ પ્રવાસીઓ અને રહેવાસીઓને અસ્વસ્થતા આપી શકે છે. કેટલાક ઇસ્લામિક દેશોમાં, દારૂ પર પ્રતિબંધને એક વિશિષ્ટ લક્ષણ તરીકે જોવામાં આવે છે જે તેમને અન્ય દેશોથી અલગ પાડે છે. જો કે, દારૂ પરનો પ્રતિબંધ હટાવવાથી કેટલાક નકારાત્મક પરિણામો પણ આવી શકે છે.

1. ધાર્મિક વિવાદ

દારૂ પરનો પ્રતિબંધ હટાવવો એ કેટલાક ધાર્મિક જૂથો માટે એક મહત્વપૂર્ણ મુદ્દો હોઈ શકે છે. જેઓ તેને ઇસ્લામ વિરુદ્ધ માને છે.

2. સ્વાસ્થ્ય ચિંતાઓ

દારૂનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે અને દારૂ પરના પ્રતિબંધો હટાવવાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી શકે છે.

3. સામાજિક સમસ્યાઓ

દારૂનો ઉપયોગ ઘરેલું હિંસા અને ગુના જેવી સામાજિક સમસ્યાઓ સાથે પણ સંકળાયેલ હોઈ શકે છે. એકંદરે, ઇસ્લામિક દેશોમાં દારૂ પરનો પ્રતિબંધ હટાવવો એ આર્થિક, સામાજિક, ધાર્મિક અને આરોગ્ય પાસાઓ સાથે સંકળાયેલો એક જટિલ મુદ્દો છે. દારુ પરનો પ્રતિબંધ હટાવીને દેશમાં પ્રવાસન સ્થળો માટે પ્રવાસીઓ વધશે. હોટેલ મેનેજમેન્ટની વ્યવસ્થા વધશે. અને નોકરીની તકો વધશે. આર્થિક ગ્રોથમાં વધારો થશે. અને સામાજિક સ્તર ઊંચુ આવશે. 

  • Follow us on: