- હમાસ-ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધને લઇ સિંગાપોર સતર્ક
- સિંગાપોરએ લોકોને સાવચેત રહેવા અને જાહેર સ્થળો પર ન જવા
- ઈવેન્ટ્સ અને જાહેર સભાઓનું આયોજન ટાળવા લોકોને સૂચના
હમાસ અને ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધનો અંત ક્યારે તેનો અંદાજ લગાવી શકાય તેમ નથી. જોકે આ યુદ્ધને લઇ સિંગાપોરએ લોકોને સાવચેત રહેવા અને લોકોને જાહેર સ્થળો પર વધુ ભેગા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ઇઝરાયલ-હમાસ સિંગાપોરના સત્તાવાળાઓએ બુધવારે જણાવ્યું હતું કે જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઇઝરાયેલ-હમાસ સંઘર્ષથી સંબંધિત લોકોમાં જાગૃત થાય અને જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સિંગાપોર પોલીસ ફોર્સ (SPF) અને નેશનલ પાર્ક્સ બોર્ડ (NParks) એ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો યોજવા અંગેની અરજીઓ ફગાવી દેવામાં આવશે. જોકે બંને વચ્ચે વધેલા તણાવને ધ્યાનમાં રાખીને, પોલીસનું મૂલ્યાંકન છે કે આવા કાર્યક્રમોનું આયોજન લોકોની સુરક્ષાને અસર કરી શકે છે.













